Tuesday, March 10, 2026

અમદાવાદની આ હોસ્પિટલમાં સંધિવાના દુ:ખાવાની સારવારનો ટેસ્ટ રાહત દરે કરાશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત SVP હોસ્પિટલ ખાતે સંધિવાની સારવાર માટે રાહત દરે ટેસ્ટ શરુ કરવા નિર્ણય કરાયો છે.રુમેટોલોજી વિભાગ દ્વારા ANTI MULLERIAN HOREMONE (AMH) પ્રતિ ટેસ્ટ રૂ. 510 તથા ANTI CCP TEST પ્રતિ ટેસ્ટ રૂ. 310ના દરથી કરાશે.હોસ્પિટલ ખાતે નસકોરાં બોલાવવા,રાત્રે ઉંઘ ના આવવી જેવી તકલીફોનો અભ્યાસ કરાશે.

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ કહ્યું, નાગરિકોએ સંધિવાના દુઃખાવાની સારવાર માટે SVP હોસ્પિટલના બાયોકેમેસ્ટ્રી વિભાગની લેબોરેટરીમાં રૂમેટોલોજી વિભાગના નવા ટેસ્ટ શરૂ કરવામાં આવશે. ANTI MULLERIAN HOREMONE (AMH) પ્રતિ ટેસ્ટ રૂ. 510 તેમજ ANTI CCP TEST પ્રતિ ટેસ્ટ રૂ. 310થી કરવામાં આવશે. ખાનગી લેબોરેટરીમાં આ ટેસ્ટ કરાવવા જાય તો તેનો ભાવ રૂ.1500 જેટલા હોય છે. જેથી કરતા ઓછા છે. આ કારણે દર્દીઓને જરૂરી ટેસ્ટ રાહત દરે ઉપલબ્ધ થશે.

મેદવસ્વીતાને કારણે ઘણા દર્દીઓને નસકોરા બોલવા, રાત્રીના ઊંઘમાં વિક્ષેપ પડવો, જેવી તકલીફોનો અભ્યાસ થશે અને દર્દીને સારવાર મળે તેના માટે SVP હોસ્પિટલ ખાતે પલ્મોનરી વિભાગમાં Sleep Study Laboratory સારવાર શરૂ થશે. જેમાં એક રાત્રિના રૂ. 4000 જનરલ તેમજ OPD વોર્ડ માટે લેવામાં આવશે. સરસપુરની શારદાબેન હોસ્પિટલ ખાતે સેન્ટર ઓફ એક્ષીલન્સ હેઠળ લેપરસી રીહેબીલેટેશન અને Autoimmune Diseases, Vesiculobullous Disordersની સારવાર શરુ કરવામાં આવશે. જેના માટે 25 લાખનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...