Tuesday, March 3, 2026

PM મોદી અને રાહુલ ગાંધી આજથી બે દિવસ ગુજરાતમાં, જાણો તેમનો કાર્યક્રમ

spot_img
Share

અમદાવાદ : PM મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે, PM મોદી આજે અને આવતીકાલે એમ બે દિવસ દક્ષિણ ગુજરાતની મુલાકાતે આવી રહયાં છે ત્યારે બીજી તરફ આજથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ બે દિવસીય ગુજરાત મુલાકાતે છે. રાહુલ ગાંધીનો આ ગુજરાત પ્રવાસ ખૂબ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. બંન્ને દિગજ્જો એક સાથે ગુજરાતની મુલાકાતે હોવાથી રાજકીય વર્તુળોમાં કંઈ નવાજૂની થવાની ચર્ચાએ જોર પકડયું છે.

આજે સવારે સાડા દસ વાગ્યે રાહુલ ગાંધીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થયું હતું. શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા સહિતના નેતાઓએ રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું. ત્યાંથી તેઓ કૉંગ્રેસ ભવન ખાતે પહોંચ્યા હતા. અહીં તેઓ 4 અલગ અલગ બેઠક કરશે. કૉંગ્રેસના સિનિયર નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે.

જે બાદ રાહુલ ગાંધી કોંગ્રેસના જિલ્લા અને શહેર પ્રમુખો તેમજ તાલુકા અને નગરપાલિકાના વડાઓને મળશે.તેઓ સાંજે 5 થી 7 વાગ્યા સુધી સામાજિક સંગઠનોના પ્રતિનિધિઓ સાથે વાર્તાલાપ કરશે.આ બેઠક કરી તેઓ અમદાવાદમાં રાત્રિ રોકાણ કરશે અને શનિવારે રાહુલ ગાંધી અમદાવાદમાં પાર્ટી કાર્યકરોને સંબોધિત કરશે અને તે જ દિવસે બપોરે દિલ્હી જવા રવાના થશે.

રાહુલ ગાંધી પ્રદેશ કૉંગ્રેસ કાર્યાલય પહોંચ્યા ત્યારે કાર્યકરોએ રાહુલ ગાંધી ઝિંદાબાદના નારા લગાવ્યા હતા. રાહુલ ગાંધીની ઝલક મેળવવા મોટી સંખ્યામાં કૉંગ્રેસ કાર્યકરો ઉમટ્યા હતા. ઘણા લાંબા સમય પછી કૉંગ્રેસ કાર્યાલય પર આવું દ્રશ્ય જોવા મળ્યું હતું.

ત્યારે ફરી એક વાર PM મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે PM મોદી આજે અને આવતીકાલે એમ બે દિવસ દક્ષિણ ગુજરાતની મુલાકાતે આવી રહયાં છે. ત્યારે તેઓ આજે બપોરે સુરત એરપોર્ટ પહોંચશે અને ત્યાંથી સીધા હેલિકોપ્ટર મારફતે સેલવાસ જશે ત્યારબાદ PM સેલવાસમાં વિવિધ કાર્યક્રમમાં હાજર ઉપસ્થિત રહેશે અને સેલવાસમાં વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન-ભૂમિપૂજન કરશે ત્યાર બાદ તેઓ સેલવાસથી પરત ફરશે અને સાંજે લીંબાયત નીલગીરી ગ્રાઉન્ડ પહોંચશે.

અહીં PM મોદી હેલિપેડથી નીલગીરી ગ્રાઉન્ડ સુધીનો રોડ શો કરશે. તેમજ લીંબાયતમાં તેઓ NFSA કાર્ડ ધારકોને કીટનું વિતરણ કરશે. અહીં નીલગીરી ગ્રાઉન્ડમાં PM મોદી જાહેરસભાને સંબોધિત કરશે આ કાર્યક્રમ બાદ તેઓ સુરતના સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરશે. આવતી કાલે એટલે કે 8 માર્ચના રોજ PM મોદી નવસારીમાં કાર્યક્રમમાં હાજર રહેશે તેઓ ગઈ કાલે સવારે સુરત સર્કિટ હાઉસથી નવસારી માટે રવાના થશે આ કાર્યક્રમ બાદ તેઓ નવસારીથી સુરત એરપોર્ટ જશે ત્યાથી તેઓ દિલ્હી જવા રવાના થશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...