Thursday, April 30, 2026

અમદાવાદમાં સોસાયટીઓથી લઇ રસ્તાઓ સુધી જશ્નનો માહોલ, હોળી પહેલા દિવાળી જેવો માહોલ

spot_img
Share

અમદાવાદ : ચેમ્પિયન ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાની જીત થતા દેશભરમાં જશ્નનો માહોલ છે. ઉજવણી કરવામાં અમદાવાદીઓ પણ પાછળ નથી રહ્યા. અમદાવાદમાં ઠેર ઠેર રસ્તાઓ પર મોટી સંખ્યામાં લોકો ઢોલ નગારા સાથે ઉતરી આવતા વાહનોના પૈડાં થંભી ગયા હતા.શહેરમાં મોટાભાગના રસ્તાઓ પર લોકો ટીમ ઈન્ડિયાની જીતની ઉજવણીની ખુશીમાં એકત્ર થતા ટ્રાફિકજામના દૃશ્યો જોવા મળ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ, ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈલન મેચમાં ન્યુઝિલેન્ડ સામે ટીમ ઈન્ડિયાની જીત થતા દેશભરમાં જશ્નનો માહોલ છે. ગુજરાતમાં પણ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના શહેરોમાં હોળી પૂર્વે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. ટીમ ઈન્ડિયાની જીતને વધાવવા માટે લોકો રસ્તા પર ઉતરી આવી હર્ષોલ્લાસ સાથે વિજયને વધાવ્યો હતો. તો બીજી તરફ અનેક જગ્યાએ લોકોએ ફટાકડા ફોડી જીતની ઉજવણી કરી હતી.

અમદાવાદ શહેરમાં ટીમ ઈન્ડિયાની જીતની ઉજવણી માટે લોકોએ પહેલાથી જ તમામ તૈયારીઓ કરી રાખી હતી. જીત થતા જ બીજા મિનિટે લોકો ઢોલ નગારાના તાલે તિરંગા સાથે ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે.અમદાવાદ શહેરના સિંધુભવન રોડ પર, શાસ્ત્રીનગર વિસ્તારમાં હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવતા ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતા. અનેક સ્થળો પર વાહનચાલકો અને ઉજવણી કરી રહેલા લોકો વચ્ચે બોલાચાલીના દૃશ્યો સર્જાયા હતા. સ્થિતિ બગડે નહીં તે માટે અમદાવાદમાં પોલીસે રસ્તા પર ઉતરવું પડ્યું હતું.

અમદાવાદના સિંધુભવન રોડ પર ભારે ટ્રાફિકજામ સર્જાત સેંકડો કારની કતાર લાગી છે. આ સમયે નાના ભૂલકાઓ કારમાં બેસીને જ ટીમ ઈન્ડિયાની જીતની ઉજવણી કરતા જોવા મળ્યા.અમદાવાદમાં સિંધુભવન રોડ પર માનવ મહેરામણ ઉમટી પડતા એક તરફનો રસ્તો બંધ કરવો પડ્યો.અમદાવાદ શહેરમાં મોટાભાગના રસ્તાઓ પર લોકો ટીમ ઈન્ડિયાની જીતની ઉજવણીની ખુશીમાં એકત્ર થતા ટ્રાફિકજામના દૃશ્યો જોવા મળ્યા હતા. CG રોડ પર પણ મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ જતા ટ્રાફિકજામ સર્જાયો હતો.

અમદાવાદ શહેરમાં રસ્તાથી લઈ સોસાયટીઓ સુધી જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે નારણપુરા, નવા વાડજ અને રાણીપમાં લોકો તિરંગા સાથે બહાર નીકળ્યા અને ઉજવણીનો જશ્ન મનાવ્યો હતો. જેમાં મોટા પ્રમાણમાં લોકો એકઠા થઈ ગયા હતા.શહેરના પૂર્વ વિસ્તાર જેમ કે ગોમતીપુર, બાપુનગર, નિકોલ અને અમરાઈવાડી વિસ્તારમાં યુવાનોએ ફટાકડા ફોડી ટીમ ઈન્ડિયાની જીતની ઉજવણી કરી હતી.

તો બીજી તરફ ભારતની જીતમાં અમદાવાદીઓ ભાન ભૂલ્યા છે. રોડ ઉપર સામાન્ય નાગરિકો અને અવર-જવરમાં તકલીફ પડી રહી છે લોકો કોઈપણ વાહનોને ઉભા રાખી અને બૂમાબૂમ કરી રહ્યા છે. અમદાવાદ શહેરના મોટાભાગના વિસ્તારમાં યુવકો રસ્તા વચ્ચે આવીને ઉજવણી કરવા લાગતા ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ છે. અનેક વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થાની ચિંતા કર્યા વગર જ યુવકો રસ્તા પર નાચતા જોવા મળ્યા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...