Wednesday, March 18, 2026

અમદાવાદના આ વિસ્તારમાં ગટરમાં સફાઈ માટે ઉતરેલા વ્યક્તિનું ગેસ ગળતરથી મોત

spot_img
Share

અમદાવાદ : મેગા સીટી અમદાવાદમાં સફાઈ કામદારોની સ્થિતિમાં આજે પણ કંઈ સુધારો આવ્યો નથી. આજે પણ ગટરની સફાઈ કરવા માટે કોઈપણ સાધન વિના સફાઈ કામદારોને અંદર ઉતારવામાં આવે છે, જેના કારણે ગૂંગળાઈ જવાથી અત્યાર સુધીમાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આવોજ એક કિસ્સો વસ્ત્રાપુર વિસ્તારમાંથી પ્રકાશમાં આવ્યો છે જેમાં ગેસ ગળતરમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, વસ્ત્રાપુર વિસ્તારમાં સુભાષ પાર્ક પાસે એક ખાનગી સોસાયટી દ્વારા આ સફાઈ કામદારને ગટરની સફાઈ માટે બોલાવવામાં આવ્યો હતો. સફાઈ કામદાર ગટરમાં ઉતર્યા બાદ ગટરમાં રહેલા ઝેરી ગેસના કારણે શ્વાસ રૂંધાતા તેનું મોત નીપજ્યું હતું.ઘટનાની જાણ થતાં જ વસ્ત્રાપુર પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. વસ્ત્રાપુર પોલીસે આ ઘટના અંગે વધુ તપાસ શરૂ કરી છે. મૃતકના પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગટરની સફાઈ માટે કોઈપણ વ્યક્તિને ગટરમાં ઉતારવા પર મંજૂરી આપવામાં આવતી નથી. તેમ છતાં ખાનગી સોસાયટી દ્વારા એક વ્યક્તિને ગટરમાં ઉતારવામાં આવ્યો હતો, જેના કારણે આ દુર્ઘટના બની હતી. આ ઘટનાએ ગટરની સફાઈ દરમિયાન સલામતીના નિયમોના પાલન અંગે સવાલો ઉભા કર્યા છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...