Thursday, November 13, 2025

અમદાવાદના આ વિસ્તારમાં ગટરમાં સફાઈ માટે ઉતરેલા વ્યક્તિનું ગેસ ગળતરથી મોત

spot_img
Share

અમદાવાદ : મેગા સીટી અમદાવાદમાં સફાઈ કામદારોની સ્થિતિમાં આજે પણ કંઈ સુધારો આવ્યો નથી. આજે પણ ગટરની સફાઈ કરવા માટે કોઈપણ સાધન વિના સફાઈ કામદારોને અંદર ઉતારવામાં આવે છે, જેના કારણે ગૂંગળાઈ જવાથી અત્યાર સુધીમાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આવોજ એક કિસ્સો વસ્ત્રાપુર વિસ્તારમાંથી પ્રકાશમાં આવ્યો છે જેમાં ગેસ ગળતરમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, વસ્ત્રાપુર વિસ્તારમાં સુભાષ પાર્ક પાસે એક ખાનગી સોસાયટી દ્વારા આ સફાઈ કામદારને ગટરની સફાઈ માટે બોલાવવામાં આવ્યો હતો. સફાઈ કામદાર ગટરમાં ઉતર્યા બાદ ગટરમાં રહેલા ઝેરી ગેસના કારણે શ્વાસ રૂંધાતા તેનું મોત નીપજ્યું હતું.ઘટનાની જાણ થતાં જ વસ્ત્રાપુર પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. વસ્ત્રાપુર પોલીસે આ ઘટના અંગે વધુ તપાસ શરૂ કરી છે. મૃતકના પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગટરની સફાઈ માટે કોઈપણ વ્યક્તિને ગટરમાં ઉતારવા પર મંજૂરી આપવામાં આવતી નથી. તેમ છતાં ખાનગી સોસાયટી દ્વારા એક વ્યક્તિને ગટરમાં ઉતારવામાં આવ્યો હતો, જેના કારણે આ દુર્ઘટના બની હતી. આ ઘટનાએ ગટરની સફાઈ દરમિયાન સલામતીના નિયમોના પાલન અંગે સવાલો ઉભા કર્યા છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...