Tuesday, March 10, 2026

ગુજરાતી પત્રકાર બિનીત મોદીનું પુસ્તક ‘રાજ્યસભામાં ગુજરાત અને ગુજરાતીઓ‘ પ્રગટ થયું

spot_img
Share

(માનવ જાેષી દ્વારા) અમદાવાદ : રાજનીતિ અને તેની સારી નરસી ચાલ એ કોઈપણ દેશના સંચાલનમાં મહત્વપૂર્ણ ભાગ ભજવતી હોય છે ત્યારે તેનું બારીકાઇથી અવલોકન કરનાર પત્રકાર જાે આ વિષયને પોતાના પુસ્તકનું વિષયવસ્તુ બનાવે તો એ અચૂક જાણવા અને માણવા લાયક માહિતી હોઈ શકે..

ગુજરાતી પત્રકાર શ્રી બિનીત મોદીએ ‘રાજ્યસભામાં ગુજરાત અને ગુજરાતીઓ‘ નામથી ખૂબ જ રસપ્રદ પુસ્તક સાર્થક પ્રકાશનના માધ્યમથી પ્રકાશિત કર્યું છે. આઝાદી પછી મુંબઈ, સૌરાષ્ટ્ર, કચ્છ માંથી તથા આ સિવાય સમગ્ર ગુજરાતમાંથી ચૂંટાયેલ આશરે ૧૦૦ જેટલા સભ્યોની માહિતી અત્યંત સચોટ અને પ્રમાણિક કલમથી આ પુસ્તકમાં વર્ણવામાં આવી છે. આઝાદી મળ્યા બાદ ૧૯૬૦ થી ૧૯૨૪ સુધી રાજ્યસભામાં કાર્ય કરનાર સભ્યોની કાર્યદક્ષતા અને તેમની વિવિધ શૈલીને રસરંજન સાથે અભિવ્યક્ત કરવામાં આવી છે.

પુસ્તકની આ વિશેષતાને માન આપી સુપ્રસિદ્ધ લેખક શ્રી ચંદુ મહેરિયાએ પ્રસ્તાવનામાં પોતાની માર્મિક શૈલીમાં પુસ્તકનો ટૂંકો પરિચય આપ્યો છે. આટલા લાંબા સમયગાળા દરમિયાન બનેલી નાની મોટી ઘટનાઓને દસ્તાવેજ સાથે રજૂ કરવા અને એ પણ આટલા મોટી માત્રામાં ચૂંટાએલ સભ્યોની આટલી ઝીણી કાર્યશૈલીને ઉજાગર કરવી કોઈ નાની સૂની સફળતા નથી.

રાજનીતિમાં રસ ધરાવનાર કોઈપણ અબાલ-વૃદ્ધ માટે આ પુસ્તક તેમના પુસ્તક સંગ્રહનું એક સોહામણું પીંછું બનીને રહેશે એમ કહેવું યથાયોગ્ય છે.. આ સિવાય પણ જાે કોઈ રસિકને વિશેષ માહિતી કે પુસ્તક માટે પોતાનો અભિપ્રાય રજૂ કરવો હોય તો લેખક શ્રી કાર્તિક શાહને તેમના મોબાઈલ નંબર (Kartik Shah) +91 98252 90796 પર સંપર્ક કરી શકે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...