Thursday, April 30, 2026

વાડજનો લાલબત્તી સમાન કિસ્સો : સિનિયર સિટીઝનોને મીઠી મીઠી વાતોમાં ફસાવી નાણાં પડાવતી મહિલા અંતે ઝડપાઇ

spot_img
Share

અમદાવાદ : શહેરના નવા વાડજ અને રાણીપમાં રહેતા સિનિયર સિટીઝનને પ્રસાદ લેવાના બહાને કે અન્ય મોડ્સ ઓપરેન્ડીથી રોકડ પડાવતી મહિલાને વાડજ પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી છે. પ્રાથમિક તપાસમા પોલીસને જાણવા મળ્યું હતું કે તેણે અત્યાર રાણીપ અને વાડજમાં ત્રણ ગુના આચર્યા હતા. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના નવા વાડજમાં આકાશદીપ એપાર્ટમેન્ટમાં રહેતા 60 વર્ષીય દુધાભાઇ સોંલકી થોડા દિવસ પહેલા તેમના પૌત્રને સ્કૂલેથી લઇને નાણાં ઉપાડવા માટે બેંકમાં ગયા હતા અને ત્યાંથી એક લાખની રોકડ લઇને ચાલતા ચાલતા ઘરે જતા હતા ત્યારે મામલતદાર કચેરી પાસે સ્કૂટર પર એક મહિલા આવી હતી. તેણે કહ્યું હતું કે તે દુધાભાઇના પુત્રની પત્નીને ઓળખે છે અને હાલ તેેને અરજન્ટમાં છ હજાર રૂપિયાની જરૂર છે. જે થોડીવારમાં ઘરે આપી જશે. જેથી દુધાભાઇએ વિશ્વાસ કરીને એક લાખમાંથી છ હજાર રૂપિયા આપી દીધા હતા. છ હજાર લીધા બાદ તેને વધારે નાણાાંની જરૂર હોવાનું કહીને એક લાખ રૂપિયા લઇ લીધા હતા. જે થોડીવારમાં ઘરે આપી જવાનું કહીને દુધાભાઇ અને તેમના પૌત્રને સ્કૂટર પર ઘરે ઉતારવાના બહાને બેસાડીને ગોપી સ્ટોર પાસે ઉતારીને નાસી ગઇ હતી.

બીજા કિસ્સામાં મહિલાએ રાણીપમાં રાધાસ્વામી રોડ પર આવેલા કલ્યાણ કુંજ સોસાયટીમાં રહેતા 65 વર્ષના કોકીલાબેન પટેલને પણ પોતાની મીઠી મીઠી વાતોમાં ફસાવી દીધા હતા. સાતમી જાન્યુઆરીના રોજ બપોરે કોકીલાબેન મામાજીના દીકરાના ઘરે ગયા હતા. આ દરમિયાન રાધાસ્વામી રોડ પર સર્વેશ્વર મંદિર પાસે અજાણી મહિલા વાહન લઈને આવી હતી. તેણે ભગવાનની પ્રસાદી લાવવા માટે રૂપિયાની માંગણી કરી હતી. જેથી કોકીલાબેને એક હજાર આપ્યા હતા. યુવતીએ વધુ નાણાં માગતા કોકીલાબેન તેને ઘરે લઈ ગયા હતા. જ્યાં મહિલા ઘરમાં ઘૂસીને 25 હજાર લઈને રફૂચક્કર થઈ ગઈ હતી.

આ અંગેની ફરિયાદ નોંધાતા વાડજ પોલીસ સ્ટેશનના પીઆઇ સી જી જોષીએ તપાસ શરૂ કરી હતી. મૂળ સાબરકાંઠાની જીનલ ભાવસાર(જીવરાજનગર સોસાયટી, શાહીબાગ) ને ઝડપી પાડી છે. આ અંગે વાડજ પોલીસે જણાવ્યું કે, આરોપીએ રાણીપ અને વાડજમાં ત્રણ ગુના આચર્યા છે. તે ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરે છે પરંતુ ચાર-પાંચ માસ પહેલા ઘાટલોડિયાના યુવક સાથે લગ્ન કર્યા હતા. જેના ખર્ચને પહોંચી વળવા માટે તેણે સિનિયર સિટીઝનોને ટાર્ગેટ કરી રૂપિયા પડાવતી હતી.તેણે અન્ય લોકો સાથે પણ છેતરપિંડી કર્યાની આશંકાને આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...