Saturday, March 7, 2026

અમદાવાદમાં ગરમીને લઈને AMC સ્કૂલના સમયમાં ફરી ફેરફાર કરવા માગ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ સહિત ગુજરાતભરમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં હીટવેવની આગાહી કરી છે. જેના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે.જોકે અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના શિક્ષક યુનિયન દ્વારા હજુ પણ સમયમાં ફેરફાર કરી વિદ્યાર્થીઓને રાહત મળે તેવી માગ કરવામાં આવી છે. બપોર પાળીની સ્કૂલ સવારના સમય ચલાવવા માગ કરવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવેલા હીટ એક્શન પ્લાનને લઇ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડે શાળાના સમયમાં ફેરફાર કર્યો છે. સ્કૂલ બોર્ડ દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો છે. જેમાં ઉનાળુ વેકેશન સુધી શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આગામી 5 મેથી ઉનાળુ વેકેશન શરૂ થવાનું છે ત્યારે સવાર પાળીનો સમય 7થી 12 અને બપોર પાળીનો સમય 12થી 5નો કરાયો છે.

AMC સ્કૂલ બોર્ડના શિક્ષક યુનિયનના પ્રમુખ મનોજ પટેલએ જણાવ્યું કે, હજુ પણ શાળાના સમયમાં ફેરફાર કરવા શિક્ષક યુનિયનની માગ છે. સવાર પાળીનો સમય 6.30થી 11.30 કરવા તેમજ ધોરણ 1થી 5ના વિદ્યાર્થી કે જેઓ બપોર પાળીમાં અભ્યાસ કરે છે. તેઓનો સમય સવારનો કરવા માગ છે તેમજ સ્કૂલ બોર્ડમાં 12 જેટલી પતરાવાળી સ્કૂલોમાં બાળકો અભ્યાસ કરે છે. જેમને હિટવેવની અસર વધુ થઈ શકે જેથી આ વિદ્યાર્થીઓને સવારે બોલાવવા માગ છે.

શિક્ષક યુનિયનનું માનવું છે કે, બપોર પાળીમાં અભ્યાસ કરતા નાના બાળકોને ગરમીથી વધુ અસર થઈ શકે છે. તેથી, તેમને સવારે બોલાવવાથી તેઓ હીટવેવથી બચી શકશે. સ્કૂલ બોર્ડને આ અંગે રજૂઆત કરવામાં આવી છે અને વિદ્યાર્થીઓના હિતમાં યોગ્ય નિર્ણય લેવાની અપીલ કરવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...