Friday, March 13, 2026

અમદાવાદમાં આ વિસ્તારમાં શરૂ થયું AMTS નું ‘કૂલ બસ સ્ટોપ’, મુસાફરોને મળશે ગરમીથી રાહત

spot_img
Share

અમદાવાદ : શહેરમાં AMTS ની બસમાં મુસાફરી કરતાં પેસેન્જરો માટે રાહતના સમાચાર છે. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મહિલા હાઉસિંગ ટ્રસ્ટના સહયોગથી ‘કૂલ બસ સ્ટોપ’ સેવા શરૂ કરી છે. તેનો હેતુ બસ સ્ટોપ પર રાહ જોઈ રહેલા મુસાફરોને કાળઝાળ ગરમીથી રાહત આપવાનો છે. જે તાપમાનમાં 6-7 ડિગ્રીનો ઘટાડો કરવામાં મદદ કરશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં હીટ એક્શન પ્લાન હેઠળ AMC એ મહિલા હાઉસિંગ ટ્રસ્ટના સહયોગથી ગરમીથી ઝઝૂમી રહેલા અમદાવાદના લોકોને રાહત આપવા માટે ‘કૂલ બસ સ્ટોપ’ સેવા શરૂ કરી છે. લાલ દરવાજા ટર્મિનલના પ્લેટફોર્મ નંબર 7 અને 8 પર પહેલો કૂલ બસ સ્ટોપ સ્થાપિત કરવામાં આવ્યું છે. આનાથી બસ સ્ટોપ પર ઉભેલા મુસાફરોને ગરમીથી રાહત મળશે અને તાપમાનમાં 6-7 ડિગ્રીનો ઘટાડો થશે. આ એક પર્યાવરણને અનુકૂળ સિસ્ટમ હશે, જેમાં પાણીના છંટકાવ અને હવા શુદ્ધિકરણની સુવિધા હશે.

અમદાવાદમાં શરૂ કરવામાં આવેલો ‘કૂલ બસ સ્ટોપ’ પ્રોજેક્ટ આ એક પર્યાવરણને અનુકૂળ પ્રોજેક્ટ છે. જે AC કરતા ઓછો વીજળીનો વપરાશ કરશે.જ્યારે પાણીનો છંટકાવ સ્પ્રિંકલર સિસ્ટમની મદદથી કરવામાં આવશે જે ઠંડક જાળવી રાખશે. આ ‘કૂલ બસ સ્ટોપ’ સવારે 11 થી સાંજે 6 વાગ્યા સુધી ચાલશે અને દરરોજ 3000 લિટર પાણીનો ઉપયોગ કરશે.આ સિસ્ટમ ધૂળને પણ નિયંત્રિત કરશે અને હવાને સ્વચ્છ બનાવશે.

લાલ દરવાજા ટર્મિનલ પર દરરોજ 3 હજારથી વધુ લોકો બસોનો ઉપયોગ કરે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અનુસાર, આગામી સમયમાં અન્ય બસ સ્ટોપ પર પણ ‘કૂલ બસ સ્ટોપ’ સુવિધા શરૂ કરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...