Saturday, March 7, 2026

નવા વાડજમાં જિલ્લા મોજણી સદનમાં 7500ની લાંચ લેતા બે લોકો ACBના હાથે ઝડપાયા

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ નવા વાડજમાં ભીમજીપુરા વિસ્તારમાં જિલ્લા મોજણી સદનમાં સફળ ટ્રેપ ઓપરેશન પાર પાડીને મેન્ટેનન્સ સર્વેયર વશરામભાઈ સોનાભાઈ ચૌધરી અને એક ખાનગી વ્યક્તિ બ્રિજેન્દ્ર બ્રિજબિહારી શુક્લાને રૂ. 7,500ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નવા વાડજમાં ભીમજીપુરા પાસે આવેલ જિલ્લા મોજણી સદનમાં અનેક લોકો પોતાના નાના-મોટા કામ માટે આવતા હોય છે ત્યારે એક વ્યક્તિ પ્રોપર્ટી કાર્ડમાં એન્ટ્રી પડાવવા માટે આવ્યો હતો તે સમયે ત્યાં હાજર વશરામભાઈ સોનાભાઈ ચૌધરી ઉ.વ.29, મેન્ટેનન્સ સર્વેયર દ્વારા પહેલા એન્ટ્રી પાડી દેવામાં આવી. ત્યારબાદ એન્ટ્રી પડાવનાર વ્યક્તિને બોલાવવામાં આવ્યા અને એની પાસે એક એન્ટ્રીના 3000 માગણી કરી હતી. જોકે, રકઝક બાદ 2500માં એક એમ ત્રણ એન્ટ્રી માટે 7500 રૂપિયા નક્કી કર્યા હતા.આમ કુલ ત્રણ અરજી માટે 7500ની લાંચની માંગણી કરવામાં આવી હતી. લાંચ આપવા ઈચ્છતા ન હોવાથી ફરિયાદીએ અમદાવાદ શહેર ACBનો સંપર્ક કર્યો અને ફરિયાદ નોંધાવી. ફરિયાદના આધારે ACB દ્વારા લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આયોજન મુજબ, ફરિયાદીએ આરોપી વશરામભાઈ સાથે વાતચીત કરી અને આરોપીએ રૂ. 7500ની લાંચની રકમ સ્વીકારીને આરોપી નંબર (2) બ્રિજેન્દ્ર શુક્લાને આપી દીધી. બ્રિજેન્દ્ર શુક્લાએ તે રકમ પોતાની ઓફિસના ટેબલની ફાઈલમાં મૂકી દીધી હતી. ACBની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને બંને આરોપીઓને ઘટના સ્થળેથી જ ઝડપી પાડ્યા હતા. પ્રાથમિક તપાસમાં બંને આરોપીઓએ એકબીજાની મદદગારી કરીને ગુનો કર્યો હોવાનું જણાયું છે.

આ સફળ ટ્રેપ ઓપરેશન પો.ઇન્સ. વી.ડી.ચૌધરી, અમદાવાદ શહેર ACB અમદાવાદના નેતૃત્વ હેઠળ પાર પાડવામાં આવ્યું હતું. સમગ્ર કામગીરીનું સુપરવિઝન મદદનિશ નિયામક કે.બી.ચુડાસમા, ACB અમદાવાદ એકમ, અમદાવાદ દ્વારા કરવામાં આવ્યું હતું. ACB દ્વારા બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...