Thursday, March 5, 2026

નારણપુરા સહિત આ વિસ્તારોમાં જાહેર રોડ પર ગંદકી કરવા બદલ 40 દુકાનો સીલ કરાઈ

spot_img
Share

અમદાવાદ : શહેરમાં સ્વચ્છતા પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જાહેર રોડ-રસ્તાઓ પર કચરો ફેંકનારા સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે.અમદાવાદમાં જાહેર રોડ પર ગંદકી કરનારા, પાનના ગલ્લા, ચાની કિટલીઓ પર પ્રતિબંધિત પેપરકપ તેમજ પ્લાસ્ટિક વાપરનારા દુકાનદારો સામે મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જાહેર રોડ ઉપર ગંદકી કરવા બદલ શહેરમાં કુલ 40 દુકાનોને સીલ કરવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, પશ્ચિમ વિસ્તારમાં ડ્રાઈવ-ઈન રોડ ઉપર ઇન્દ્રપ્રસ્થ ટાવરમાં ઉત્તર પશ્ચિમ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધર્યું હતું. તે દરમિયાન જાહેર રોડ ઉપર ગંદકી કરવા બદલ અને પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ બદલ 40 જેટલી વિવિધ દુકાનોને સીલ મારી દીધી છે. શહેરના નવરંગપુરા, નારણપુરા, ચાંદખેડા, રાણીપ અને પાલડી સહિતના વિસ્તારોમાં દુકાનોને સીલ મારી દેતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. જાહેર રોડ પર ગંદકી કરવા બદલ અને પ્રતિબંધિત પ્લાસ્ટિક માટે 895 જેટલા એકમને ચેક કરવામાં આવ્યા હતા. 886 એકમને નોટિસ અપાઈ છે. 5 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકને જપ્ત કરવામાં આવ્યું છે. કુલ 4.05 લાખ જેટલો વહીવટી ચાર્જ પણ વસૂલ કરવામાં આવ્યો છે.

શહેરના વિવિધ વિસ્તારોમાં બાકી પ્રોપર્ટી ટેક્સ ધારકો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત પશ્ચિમ વિસ્તારમાં આજે ગુરૂવાર સવારથી જ વિવિધ વિસ્તારોમાં બાકી પ્રોપર્ટી ટેક્સ ધારકો સામે સીલીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. પશ્ચિમ ઝોનમાં 1970 જેટલી મિલકતોને સીલ મારવામાં આવી છે. 1.71 કરોડ રૂપિયાની આવક મ્યુનિસિપલ કોર્પોરેશનને થઈ છે. રાણીપ, ચેનપુર, નવરંગપુરા, વાસણા, નારણપુરા અને સુભાષ બ્રિજ સહિતના વિસ્તારોમાં આવેલી કોમર્શિયલ મિલકતોને સીલ કરવામાં આવી છે

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...