Friday, March 20, 2026

અમદાવાદમાં રોંગ સાઇડ ડ્રાઇવ કરતા વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી શરૂ, આટલા લોકો સામે નોંધાઇ ફરિયાદ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઇડ ડ્રાઇવ કરતા વાહન ચાલકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. 21 માર્ચના રોજ એક જ દિવસમાં રોંગ સાઇડ ડ્રાઇવ કરતા ટુ વ્હીલર,થ્રી વ્હીલર તથા ફોર વ્હીલર વિરૂદ્ધ 22 ફરિયાદ નોંધવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવ કરવામાં આવી હતી. જેમાં શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા 21 માર્ચના રોજ એક જ દિવસમાં રોંગ સાઇડ ડ્રાઇવ કરતા ટુ વ્હીલર,થ્રી વ્હીલર તથા ફોર વ્હીલર વિરૂદ્ધ 22 ફરિયાદ નોંધવામાં આવી છે. આ અગાઉ અમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરાત કરાઈ હતી કે હવે કોઇ પણ નાગરિક રોંગસાઇડ વાહન ચલાવતા પકડાશે તો તેની સામે ફરિયાદ નોંધીને ધરપકડ કરવામાં આવશે. અમદાવાદ ટ્રાફિક પોલીસે નાગરિકોને રોંગસાઇડ વાહન ના ચલાવવા માટે અપીલ કરી છે.

રોંગ સાઇડ વાહન ચલાવવું એક ગુનો છે કારણ કે તેનાથી અન્ય વાહનચાલકો અને રાહદારીઓને જીવનું જોખમ ઉભું થાય છે. રોંગ સાઇડ ડ્રાઈવીંગ કરવાથી અકસ્માતની શક્યતા વધી જાય છે. જેથી અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અને રોંગ સાઇડ વાહન ન ચલાવવા અપીલ કરે છે. રોંગ સાઇડ વાહન ચલાવતા વાહનચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

ટ્રાફિક નિયમોના ભંગ બદલ આકરા દંડ વસૂલ કરવાની કામગીરી સહિતનું ચિત્ર અદાલત સમક્ષ રજૂ કરાયું હતું. જેમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ ટ્રાફિક વિભાગ દ્વારા છેલ્લા 20 જ દિવસમાં 2 લાખથી વધુ કેસો કરી 13.21 કરોડ રૂપિયાથી પણ વધુનો વિક્રમી અને ઐતિહાસિક દંડ વસૂલ્યો હોવાની માહિતી રેકર્ડ પર આવી હતી.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...