Thursday, March 5, 2026

નવા વાડજમાં આ સંગઠનો દ્વારા શહીદ દિવસની અનોખી ઉજવણી, મોટી સંખ્યામાં લોકો જોડાયા

spot_img
Share

માનવ જોષી દ્વારા, અમદાવાદ : 23 માર્ચ એટલે આપણા દેશની સ્વતંત્રતા માટે પોતાના જીવનની આહુતિ આપનાર શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂનો 95 મો શહીદ દિવસ.આ મહાન ક્રાંતિકારીઓને શ્રદ્ધાંજલિ આપવા માટે ભારત દર વર્ષે 23 માર્ચે શહીદ દિવસ મનાવે છે. 23 માર્ચના દિવસે આ ત્રણ સ્વાતંત્ર્ય સેનાનીઓને અંગ્રેજોએ ફાંસી આપી હતી. નાની ઉંમરે આ વીરોએ દેશની આઝાદી માટે લડાઈ લડી અને પોતાના પ્રાણનું બલિદાન આપ્યું હતું.ત્યારે નવા વાડજ વિસ્તારમાં સંગઠનો દ્વારા શહીદ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, આજે 23મી માર્ચના દિવસે સમગ્ર દેશમા શહીદ દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે નવાવાડજમાં સ્નાનાગરની સામે ઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક ઓર્ગેનાઇઝેશન (AIDSO), ઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક યુથ ઓર્ગેનાઇઝેશન (AIDYO) અને ઓલ ઇન્ડિયા મહિલા સાંસ્કૃતિક સંગઠન (AIMSS) દ્વારા શહીદ દિવસને જાગૃતિ જગાવનાર દિન તરીકે ઉજવી અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં આપણા આ ક્રાંતિકારીઓનો જીવન સંદેશ પહોંચતો કરવા વિવિધ પત્રિકાઓ, પુસ્તકો ભાષણ, ગીતો, નાટક તથા ફોટો પ્રદર્શન દ્વારા એક એક નાગરિક સુધી પહોંચાડવાનો સનિષ્ઠ પ્રયાસ કર્યોં હતો.

આ કાર્યક્રમમાં સંગઠનના પ્રમુખ રિમ્મી વાઘેલા, જયેશ પટેલ અને મીનાક્ષીબેન જોષીએ આ દિવસને જાગૃતિ જગાવનાર ગણાવ્યો હતો, આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી આ પ્રયાસને સમજી, આ કાર્યક્રમને પોતાની દેશભક્તિના પ્રાગટ્યની તક ઝડપી તેમાં જોડાયા હતા. ભવિષ્યમાં દેશના ઉત્થાન માટે જાગૃતિપૂર્ણ પ્રયાસ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી અને શહીદ ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવજીને પુષ્પ અર્પણ કરી તેમના પ્રત્યે પોતાનો આદર વ્યક્ત કર્યોં હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...