Monday, November 17, 2025

નવા વાડજમાં આ સંગઠનો દ્વારા શહીદ દિવસની અનોખી ઉજવણી, મોટી સંખ્યામાં લોકો જોડાયા

spot_img
Share

માનવ જોષી દ્વારા, અમદાવાદ : 23 માર્ચ એટલે આપણા દેશની સ્વતંત્રતા માટે પોતાના જીવનની આહુતિ આપનાર શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂનો 95 મો શહીદ દિવસ.આ મહાન ક્રાંતિકારીઓને શ્રદ્ધાંજલિ આપવા માટે ભારત દર વર્ષે 23 માર્ચે શહીદ દિવસ મનાવે છે. 23 માર્ચના દિવસે આ ત્રણ સ્વાતંત્ર્ય સેનાનીઓને અંગ્રેજોએ ફાંસી આપી હતી. નાની ઉંમરે આ વીરોએ દેશની આઝાદી માટે લડાઈ લડી અને પોતાના પ્રાણનું બલિદાન આપ્યું હતું.ત્યારે નવા વાડજ વિસ્તારમાં સંગઠનો દ્વારા શહીદ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, આજે 23મી માર્ચના દિવસે સમગ્ર દેશમા શહીદ દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે નવાવાડજમાં સ્નાનાગરની સામે ઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક ઓર્ગેનાઇઝેશન (AIDSO), ઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક યુથ ઓર્ગેનાઇઝેશન (AIDYO) અને ઓલ ઇન્ડિયા મહિલા સાંસ્કૃતિક સંગઠન (AIMSS) દ્વારા શહીદ દિવસને જાગૃતિ જગાવનાર દિન તરીકે ઉજવી અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં આપણા આ ક્રાંતિકારીઓનો જીવન સંદેશ પહોંચતો કરવા વિવિધ પત્રિકાઓ, પુસ્તકો ભાષણ, ગીતો, નાટક તથા ફોટો પ્રદર્શન દ્વારા એક એક નાગરિક સુધી પહોંચાડવાનો સનિષ્ઠ પ્રયાસ કર્યોં હતો.

આ કાર્યક્રમમાં સંગઠનના પ્રમુખ રિમ્મી વાઘેલા, જયેશ પટેલ અને મીનાક્ષીબેન જોષીએ આ દિવસને જાગૃતિ જગાવનાર ગણાવ્યો હતો, આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી આ પ્રયાસને સમજી, આ કાર્યક્રમને પોતાની દેશભક્તિના પ્રાગટ્યની તક ઝડપી તેમાં જોડાયા હતા. ભવિષ્યમાં દેશના ઉત્થાન માટે જાગૃતિપૂર્ણ પ્રયાસ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી અને શહીદ ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવજીને પુષ્પ અર્પણ કરી તેમના પ્રત્યે પોતાનો આદર વ્યક્ત કર્યોં હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...