Friday, March 13, 2026

સાબરમતી રિવરફ્રન્ટ પર યુવક અને યુવતીએ હાથમાં દુપટ્ટો બાંધીને કર્યું મોતને વ્હાલું

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ જાણે આત્મહત્યાનો ફ્રન્ટ બની ગયો છે. જેમાં યુવક અને યુવતીએ નદીમાં ઝંપલાવીને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. બંનેએ આપઘાત શા માટે કર્યો તેને લઈને હજુ કોઈ માહિતી સામે નથી આવી. બંનેના મૃતદેહ નદીમાં તરતી હાલતમાં મળી આવ્યા હતા. જેથી તેમને બહાર કાઢીને તુરંત એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. જેમાં 108ની ટીમ દ્વારા બંનેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પરથી યુવક અને યુવતીએ હાથમાં દુપટ્ટો બાંધીને નદીમાં ઝંપલાવ્યું હતું. જેમાં ખાનપુર તરફ આવેલા વોક વે પરથી બંનેએ નદીમાં કૂદીને આપઘાત કર્યો હતો. બંનેના મૃતદેહ નદીમાં તરતી હાલતમાં મળી આવતા ફાયરબ્રિગેડને બોલાવવામાં આવી હતી. જેમણે તુરંત બંનેને બહાર કાઢ્યા હતા.છોકરી પાસે એક બેગ પણ મળી આવી છે. જોકે, બેગ તપાસતાં કંઈ મળ્યું નથી.

ફાયર બ્રિગેડની ટીમે બંનેના મૃતદેહ બહાર કાઢ્યા છે. 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓ દ્વારા તપાસ બાદ બંનેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. છોકરીના ડાબા હાથ પર પ્રિયાંશી નામ લખેલું છે. ઘટનાની માહિતી મળતાં રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આત્મહત્યા કરનાર યુવક અને યુવતીની ઓળખ થઈ નથી. છોકરીના ડાબા હાથ પર ફક્ત પ્રિયાંશી શબ્દ લખાયેલો છે અને તેના પર ટેટૂ બનાવવામાં આવ્યું છે. જેના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...