Wednesday, March 11, 2026

અમદાવાદમાં વાડજ સહિત આ વિસ્તારોમાં ગુરુવારે સાંજે પાણી નહીં આવે, જાણો કયા વિસ્તાર પ્રભાવિત થશે ?

spot_img
Share

અમદાવાદ : શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવતીકાલે 27 માર્ચના રોજ સાંજે પાણી કાપ રહેશે. 28 માર્ચે ઉપલબ્ધ પાણી ન જથ્થા મુજબ પાણીનો જથ્થો મળી રહેશે.સાબરમતી બ્રિજ નીચે ટ્રન્ક લાઇનની રીપેર કામગીરી માટે સાબરમતી, ચાંદખેડા, પાલડી, નારણપુરા, આશ્રમ રોડ, વાસણા, વાડજ વિસ્તારમાં પાણી આવશે નહીં.

એએમસી(AMC)ના ઇજનેર વોટર પ્રોજેકટ વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી છે કે કોતરપુર વોટર વકર્સથી શહેરના પશ્ચિમ ઝોનને પાણી પૂરવઠો પુરો પાડતી 1600 મી.મી. વ્યાસની વેસ્ટર્ન ટ્રન્ક મેઈન્સમાં સાબરમતી ચીમનભાઈ બ્રીજ નીચે ટોરેન્ટ પાવર પાસે થયેલાં લીકેજ રીપેરિંગ તથા અખબાર નગર સર્કલ પાસે એરવાલ્વની પાઈપમાં થયેલ લિકેજ રીપેર કરવામાં આવશે.

આ રીપેરીંગ કામની કામગીરી હાથ ધરવા માટે વેસ્ટર્ન ટ્રન્ક મેઈનલાઈનમાં શટ ડાઉન લેવું જરૂરી છે. આ શટ ડાઉનને કારણે 27મી માર્ચના રોજ પશ્ચિમ ઝોનના રાણીપ વિસ્તાર સિવાયના તમામ વિસ્તારોમાં સાંજના પાણી પુરવઠાને અસર થશે અને તે બંધ રહેશે.28 માર્ચના રોજ રોજ સવાર તથા સાંજનો પાણી પુરવઠો પાણીના ઉપલબ્ધ જથ્થા મુજબ આપવા આપવામાં આવશે.

એએમસી (AMC) દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે 28મી માર્ચના રોજ સવાર અને સાંજનો પાણી પુરવઠો પાણીના ઉપલબ્ધ જથ્થા મુજબ આપવામાં આવશે. જો કે પાણી પુરવઠામાં ઘટાડો અનુભવાઈ શકે છે, તેથી નાગરિકોને પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે. પાણીકાપને કારણે અસરગ્રસ્ત વિસ્તારોના રહેવાસીઓને આગોતરી તૈયારી રાખવા અને જરૂરિયાત મુજબ પાણીનો સંગ્રહ કરી લેવા માટે સૂચના આપવામાં આવે છે.

એએમસી (AMC)ના અધિકારીએ જણાવ્યું કે સમારકામની કામગીરી અત્યંત જરૂરી છે, કારણ કે લિકેજને કારણે પાણીનો વ્યય થઈ રહ્યો હતો અને ભવિષ્યમાં મોટી સમસ્યાઓ સર્જાઈ શકે છે. તેમણે નાગરિકોને સહકાર આપવા અને પાણીનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવા વિનંતી કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...