Wednesday, April 29, 2026

અમદાવાદમાં વાડજ સહિત આ વિસ્તારોમાં ગુરુવારે સાંજે પાણી નહીં આવે, જાણો કયા વિસ્તાર પ્રભાવિત થશે ?

spot_img
Share

અમદાવાદ : શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવતીકાલે 27 માર્ચના રોજ સાંજે પાણી કાપ રહેશે. 28 માર્ચે ઉપલબ્ધ પાણી ન જથ્થા મુજબ પાણીનો જથ્થો મળી રહેશે.સાબરમતી બ્રિજ નીચે ટ્રન્ક લાઇનની રીપેર કામગીરી માટે સાબરમતી, ચાંદખેડા, પાલડી, નારણપુરા, આશ્રમ રોડ, વાસણા, વાડજ વિસ્તારમાં પાણી આવશે નહીં.

એએમસી(AMC)ના ઇજનેર વોટર પ્રોજેકટ વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી છે કે કોતરપુર વોટર વકર્સથી શહેરના પશ્ચિમ ઝોનને પાણી પૂરવઠો પુરો પાડતી 1600 મી.મી. વ્યાસની વેસ્ટર્ન ટ્રન્ક મેઈન્સમાં સાબરમતી ચીમનભાઈ બ્રીજ નીચે ટોરેન્ટ પાવર પાસે થયેલાં લીકેજ રીપેરિંગ તથા અખબાર નગર સર્કલ પાસે એરવાલ્વની પાઈપમાં થયેલ લિકેજ રીપેર કરવામાં આવશે.

આ રીપેરીંગ કામની કામગીરી હાથ ધરવા માટે વેસ્ટર્ન ટ્રન્ક મેઈનલાઈનમાં શટ ડાઉન લેવું જરૂરી છે. આ શટ ડાઉનને કારણે 27મી માર્ચના રોજ પશ્ચિમ ઝોનના રાણીપ વિસ્તાર સિવાયના તમામ વિસ્તારોમાં સાંજના પાણી પુરવઠાને અસર થશે અને તે બંધ રહેશે.28 માર્ચના રોજ રોજ સવાર તથા સાંજનો પાણી પુરવઠો પાણીના ઉપલબ્ધ જથ્થા મુજબ આપવા આપવામાં આવશે.

એએમસી (AMC) દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે 28મી માર્ચના રોજ સવાર અને સાંજનો પાણી પુરવઠો પાણીના ઉપલબ્ધ જથ્થા મુજબ આપવામાં આવશે. જો કે પાણી પુરવઠામાં ઘટાડો અનુભવાઈ શકે છે, તેથી નાગરિકોને પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે. પાણીકાપને કારણે અસરગ્રસ્ત વિસ્તારોના રહેવાસીઓને આગોતરી તૈયારી રાખવા અને જરૂરિયાત મુજબ પાણીનો સંગ્રહ કરી લેવા માટે સૂચના આપવામાં આવે છે.

એએમસી (AMC)ના અધિકારીએ જણાવ્યું કે સમારકામની કામગીરી અત્યંત જરૂરી છે, કારણ કે લિકેજને કારણે પાણીનો વ્યય થઈ રહ્યો હતો અને ભવિષ્યમાં મોટી સમસ્યાઓ સર્જાઈ શકે છે. તેમણે નાગરિકોને સહકાર આપવા અને પાણીનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવા વિનંતી કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...