Wednesday, April 29, 2026

અમદાવાદમાં પોલીસની ઉમદા કામગીરી, આપઘાત કરવા નીકળેલ પરિવારના ચાર સભ્યોનો બચાવ્યો જીવ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેર પોલીસ દ્વારા એક ઉમદા કામગીરી કરવામાં આવી છે, આર્થિક સંકળામણના કારણે કંટાળીને સામૂહિક આપઘાત કરવા નીકળેલા પરિવારને શોધી આત્મહત્યા કરતા પહેલા બચાવી લેવામાં આવ્યો છે. પિતાએ પોલીસને જાણ કરતાં લોકેશનના આધારે પરિવાર સુધી પોલીસ પહોંચી હતી અને પરિવારના ચાર સભ્યોનો જીવ બચાવ્યો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના ઇસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી કૃષ્ણ કુંજ સોસાયટીમાં રહેતા સુરેશભાઈ (નામ બદલેલ છે) 25 માર્ચ 2025 ના રોજ ઇસનપુર ખાતે આવ્યા હતા અને જાહેરાત કરી હતી કે તેઓનો દીકરો તેની પત્ની અને બે બાળકો સાથે પોતે આત્મહત્યા કરવા જાય છે તે પ્રકારની ચિઠ્ઠી લખીને ઘરેથી પરિવાર નીકળી ગયો હતો. જે રજૂઆતના આધારે ઇસનપુર પોલીસે અલગ અલગ રીતે તપાસ શરૂ કરી હતી.

ઇસનપુર પીઆઇ બી.એસ જાડેજા અને પીએસઆઇ સહિતનો સ્ટાફ પરિવારની શોધખોળમાં લાગ્યો હતો. જે બાદ મોબાઇલ નંબરના લોકેશન મેળવી પરિવારને શોધી કાઢવામાં આવ્યો હતો અને તેઓને પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા. તેઓની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે રાકેશ (નામ બદલેલ છે) તથા તેની પત્નીએ પોતે મકાન રીપેરીંગ માટે લોન લીધી હતી અને જેના હપ્તા ચાલુ હોય અને પોતે લોનથી રીક્ષા લીધી હોય જેથી રીક્ષા ચલાવી પોતે લોનના હપ્તા ભરી શકતો ન હોય આર્થિક સંકળામણના કારણે આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો હતો.

જેથી પોતાના પરિવાર સાથે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આત્મહત્યા કરવા માટે નીકળી ગયો હતો, જેથી પોલીસે ગણતરીના કલાકોમાં આત્મહત્યા કરવા નીકળેલા પરિવારને શોધીને ચાર વ્યક્તિના જીવ બચાવી લીધા હતા. જે બાદ જે ડિવિઝન એસીપી પ્રદિપસિંહ જાડેજાએ પોતે પરિવારજનોને પોલીસ સ્ટેશન ખાતે મળીને આત્મહત્યા ન કરવા અંગે સમજણ આપી હતી. અને તેઓના પરિવારજનોને બોલાવીને મિલન કરાવી પ્રજા પોલીસની મિત્ર છે તે સૂત્રને સાર્થક કર્યું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...