Monday, September 15, 2025

મકાન ભાડે આપતા પહેલા આ નવો નિયમ જાણી લેજો, સરકારે નાંખ્યો વધારાનો બોજો

Share

Share

અમદાવાદ : જો તમે પણ કોઈને તમારી રહેઠાણની અને કોમર્શિયલ પ્રોપર્ટી ભાડે આપી રહ્યા છો અથવા તમે કોઈને રહેઠાણની અને કોમર્શિયલ પ્રોપર્ટી ભાડે આપી રહ્યા છો તો તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે. આજે અહીં નવા નિયમો જણાવવા જઈ રહ્યા છીએ, જે મકાન માલિક અને ભાડૂઆત બંનેએ જાણવા જરૂરી છે. ગુજરાત સ્ટેમ્પ સુધારા વિધેયક ગૃહમાં એક મોટો સુધારો કરવામાં આવ્યો છે. હવે જો કોઈ સ્ટેમ્પ ડ્યુટી ન ભરે કે ખોટી માહિતી આપે તો તેને 200 રૂપિયાથી લઈને 1 લાખ સુધીનો દંડ ફટકારવામાં આવશે. આ સાથે જ ભાડાની મિલકત પર પણ સરકારે નવો નિયમ લાગુ કર્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સ્ટેમ્પ સુધારા વિધેયકમાં મોટા સુધારામાં ભાડાં પર રહેઠાણની અને કોમર્શિયલ પ્રોપર્ટી આપનારાઓ પરનો બોજો પણ વધારવામાં આવ્યો છે. 11 મહિના 29 દિવસના ભાડાકરાર રહેઠાણ માટે હોય તો તેને માટે રૂા.500નો સ્ટેમ્પ અને કોમર્શિયલ માટે રૂા.1000નો સ્ટેમ્પ વાપરવાની જોગવાઈ છે. આ કરારની વિગતો પાંચ કે પંદર વર્ષથી નહિ દર્શાવવામાં આવી હોય તો તેને માટે રૂા. 10000નો સ્ટેમ્પ વાપરવો પડશે અને તે ઉપરાંતના વર્ષ માટે બે ટકાના દરે દંડ કરવાની જોગવાઈ દાખલ કરવામાં આવી છે.

સરકારે ડ્યૂટી માફી આપી હોય કે પછી તેવા વખતે ખૂટતી ડ્યૂટીની રકમ પર નહિ, પરંતુ ડ્યૂટીની સંપૂર્ણ રકમ પર દંડ કરવાની જોગવાઈ નવા વિધેયકના માધ્યમથી લાવવામાં આવી છે.કલેક્ટર સમક્ષ તેને માટે અસલ દસ્તાવેજ રજૂ કરવામાં આવ્યો હોય તે તારીખ અને કલેક્ટરે તેના પર હુકમ કર્યો હોય તે તારીખ વચ્ચેના સમયગાળાને દંડ માટેના સમયગાળા તરીકે ગણતરીમાં લેવામાં આવશે નહિ. આ ગાળા માટે કોઈ જ દંડ કરવામાં આવશે નહિ.

ભારતીય કાયદામાં ભાડૂઆતો માટે પણ નિયમો બનાવવામાં આવ્યા છે. આમાંના એકમાં ભાડા કરાર સંબંધિત કાયદો પણ શામેલ છે. ભારતીય નોંધણી અધિનિયમ, 1908 ની કલમ 17(D) હેઠળ વર્ષમાં 12 મહિના હોવા છતાં એક વર્ષથી ઓછા સમયગાળા માટે ભાડા કરાર અથવા લીઝ કરાર નોંધાવવો ફરજિયાત નથી. આનો અર્થ એ થયો કે મકાનમાલિક કોઈપણ નોંધણી વગર ફક્ત 11 મહિના માટે ભાડા કરાર કરી શકે છે. એટલે કે ભાડા પર ઘર આપતી વખતે ઘરમાલિકો અને ભાડૂઆતોને દસ્તાવેજ નોંધાવવા અને નોંધણી ચાર્જ ચૂકવવા માટે સબ-રજિસ્ટ્રાર ઑફિસમાં જવાની જરૂર રહેતી નથી.

11 મહિના માટે ભાડા કરાર કરવા પાછળનું બીજું મોટું કારણ કે ફાયદો એ છે કે આ સમયગાળા માટે કરાર માટે સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફી ચૂકવવાની જરૂર નથી. જો ભાડા કરાર એક વર્ષથી ઓછા સમયગાળા માટે કરવામાં આવે છે, તો તેના પર ચૂકવવાપાત્ર સ્ટેમ્પ ડ્યુટી ફરજિયાત નથી. 11 મહિનાનો ભાડા કરાર મકાનમાલિકની તરફેણમાં છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...