Saturday, November 8, 2025

મકાન ભાડે આપતા પહેલા આ નવો નિયમ જાણી લેજો, સરકારે નાંખ્યો વધારાનો બોજો

spot_img
Share

અમદાવાદ : જો તમે પણ કોઈને તમારી રહેઠાણની અને કોમર્શિયલ પ્રોપર્ટી ભાડે આપી રહ્યા છો અથવા તમે કોઈને રહેઠાણની અને કોમર્શિયલ પ્રોપર્ટી ભાડે આપી રહ્યા છો તો તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે. આજે અહીં નવા નિયમો જણાવવા જઈ રહ્યા છીએ, જે મકાન માલિક અને ભાડૂઆત બંનેએ જાણવા જરૂરી છે. ગુજરાત સ્ટેમ્પ સુધારા વિધેયક ગૃહમાં એક મોટો સુધારો કરવામાં આવ્યો છે. હવે જો કોઈ સ્ટેમ્પ ડ્યુટી ન ભરે કે ખોટી માહિતી આપે તો તેને 200 રૂપિયાથી લઈને 1 લાખ સુધીનો દંડ ફટકારવામાં આવશે. આ સાથે જ ભાડાની મિલકત પર પણ સરકારે નવો નિયમ લાગુ કર્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સ્ટેમ્પ સુધારા વિધેયકમાં મોટા સુધારામાં ભાડાં પર રહેઠાણની અને કોમર્શિયલ પ્રોપર્ટી આપનારાઓ પરનો બોજો પણ વધારવામાં આવ્યો છે. 11 મહિના 29 દિવસના ભાડાકરાર રહેઠાણ માટે હોય તો તેને માટે રૂા.500નો સ્ટેમ્પ અને કોમર્શિયલ માટે રૂા.1000નો સ્ટેમ્પ વાપરવાની જોગવાઈ છે. આ કરારની વિગતો પાંચ કે પંદર વર્ષથી નહિ દર્શાવવામાં આવી હોય તો તેને માટે રૂા. 10000નો સ્ટેમ્પ વાપરવો પડશે અને તે ઉપરાંતના વર્ષ માટે બે ટકાના દરે દંડ કરવાની જોગવાઈ દાખલ કરવામાં આવી છે.

સરકારે ડ્યૂટી માફી આપી હોય કે પછી તેવા વખતે ખૂટતી ડ્યૂટીની રકમ પર નહિ, પરંતુ ડ્યૂટીની સંપૂર્ણ રકમ પર દંડ કરવાની જોગવાઈ નવા વિધેયકના માધ્યમથી લાવવામાં આવી છે.કલેક્ટર સમક્ષ તેને માટે અસલ દસ્તાવેજ રજૂ કરવામાં આવ્યો હોય તે તારીખ અને કલેક્ટરે તેના પર હુકમ કર્યો હોય તે તારીખ વચ્ચેના સમયગાળાને દંડ માટેના સમયગાળા તરીકે ગણતરીમાં લેવામાં આવશે નહિ. આ ગાળા માટે કોઈ જ દંડ કરવામાં આવશે નહિ.

ભારતીય કાયદામાં ભાડૂઆતો માટે પણ નિયમો બનાવવામાં આવ્યા છે. આમાંના એકમાં ભાડા કરાર સંબંધિત કાયદો પણ શામેલ છે. ભારતીય નોંધણી અધિનિયમ, 1908 ની કલમ 17(D) હેઠળ વર્ષમાં 12 મહિના હોવા છતાં એક વર્ષથી ઓછા સમયગાળા માટે ભાડા કરાર અથવા લીઝ કરાર નોંધાવવો ફરજિયાત નથી. આનો અર્થ એ થયો કે મકાનમાલિક કોઈપણ નોંધણી વગર ફક્ત 11 મહિના માટે ભાડા કરાર કરી શકે છે. એટલે કે ભાડા પર ઘર આપતી વખતે ઘરમાલિકો અને ભાડૂઆતોને દસ્તાવેજ નોંધાવવા અને નોંધણી ચાર્જ ચૂકવવા માટે સબ-રજિસ્ટ્રાર ઑફિસમાં જવાની જરૂર રહેતી નથી.

11 મહિના માટે ભાડા કરાર કરવા પાછળનું બીજું મોટું કારણ કે ફાયદો એ છે કે આ સમયગાળા માટે કરાર માટે સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફી ચૂકવવાની જરૂર નથી. જો ભાડા કરાર એક વર્ષથી ઓછા સમયગાળા માટે કરવામાં આવે છે, તો તેના પર ચૂકવવાપાત્ર સ્ટેમ્પ ડ્યુટી ફરજિયાત નથી. 11 મહિનાનો ભાડા કરાર મકાનમાલિકની તરફેણમાં છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...