Thursday, March 5, 2026

અમદાવાદીઓ માટે નવું નજરાણું : કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં ગ્વાલિયર ઝુના વાઘ-વાઘણ અને 5 કાળિયારની જોડી જોવા મળશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના કાંકરિયા ખાતે આવેલા પ્રાણીસંગ્રહાલયમાં ફરવા આવનારા લોકો માટે હવે નવા નજરાણાનો ઉમેરો થયો છે. મધ્યપ્રદેશના ગ્વાલિયર પ્રાણીસંગ્રહાલય ખાતેથી વાઘ અને કાળિયારની જોડીઓ લાવવામાં આવી હતી. એક મહિનાના ક્વોરેન્ટાઇન રાખ્યા બાદ આજે (28 માર્ચ, 2025) શુક્રવારે કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં મુલાકાતીઓને નિહાળવા માટે મૂકવામાં આવ્યા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, મધ્યપ્રદેશ ખાતે આવેલા ગ્વાલિયર પ્રાણી સંગ્રહાલય અને અમદાવાદના કાંકરિયા પ્રાણીસંગ્રહાલય અને વચ્ચે પ્રાણી-પક્ષીઓનો વિનીમય કરવા સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી, નવી દિલ્હીની મંજૂરી મળી હતી.જે અંતર્ગત 16 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ પ્રાણીસંગ્રહાલયથી વિનમય કરવા માટેના પ્રાણી, પક્ષીઓ અને સરીસૃપો ગ્વાલીયર ખાતે લઈ જવામાં આવ્યા હતા. ગ્વાલીયરથી વાઘની એક જોડી (નર-માદા) અને કાળીયારની પાંચ જોડી (માદા 5 અને નર 5) કાંકરિયા પ્રાણીસંગ્રહાલય ખાતે ત્રણ ટ્રક મારફતે લાવવામાં આવ્યા હતા. પ્રાણીઓને સેન્ટ્રલ ઝુ ઓથોરીટી, નવી દિલ્હીના નીતિ નિયમો અનુસાર એક માસ સુધી કવોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા હતા. તેનો એક મહિનાનો પિરિયડ પૂરો થયા બાદ મેયર સહિતના પદાધિકારીઓ દ્વારા મુલાકાતીઓ માટે મૂકવામાં આવ્યા છે.

કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાંથી આપવામાં આવેલા પ્રાણી, પક્ષીઓ, સરીસૃપોના દર વર્ષે મોટી સંખ્યામાં બચ્ચાંઓ જન્મે છે. વધારાના આ પ્રાણી પક્ષીઓ અને સરીસૃપો ગ્વાલિયર પ્રાણીસંગ્રહાલયને આપવામાં આવેલા છે. હાલમાં અમદાવાદ ઝૂ ખાતે એક સિંહ અને બે સિંહણ, એક સફેદ વાઘણ અને 5 વાઘણ તથા 1 વાઘ (નર), 9 દિપડા જેમાં 4 નર અને 5 માદા, 1 રીંછ, 1 હાથી, 2 હિપોપોટેમસ, 10 શિયાળ અને મોટી સંખ્યામાં પક્ષીઓ અને સરીસૃપો કુલ મળી 2100 ઉપરાંત વન્ય પ્રાણીઓને કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં રાખવામાં આવેલા છે.

ગરમીની સીઝનની શરૂઆત થતા કર્યા પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ માટે વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સિંહ, વાઘ, દીપડા સહિતના પ્રાણીઓને ગરમી તથા લૂથી બચાવવા માટે ઇન્ડસ્ટ્રીયલ કુલર મુકવામાં આવ્યા છે. કુલરથી પ્રાણીઓને ઠંડક મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત હાથી તેમજ હિપોપોટેમસના પાંજરામાં પાણીની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. બપોર બાદ પ્રાણીઓ અને પક્ષીઓ ઉપર પાણીનો પણ છંટકાવ કરવામાં આવે છે. અન્ય પક્ષીઓના પાંજરામાં ગ્રીનનેટ લગાવવામાં આવી છે. આમ પ્રાણીઓ અને પક્ષીઓને ગરમીથી રાહત માટે તે માટે વિશેષ કાળજી લેવામાં આવી રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...