Thursday, January 8, 2026

અમદાવાદીઓ માટે નવું નજરાણું : કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં ગ્વાલિયર ઝુના વાઘ-વાઘણ અને 5 કાળિયારની જોડી જોવા મળશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના કાંકરિયા ખાતે આવેલા પ્રાણીસંગ્રહાલયમાં ફરવા આવનારા લોકો માટે હવે નવા નજરાણાનો ઉમેરો થયો છે. મધ્યપ્રદેશના ગ્વાલિયર પ્રાણીસંગ્રહાલય ખાતેથી વાઘ અને કાળિયારની જોડીઓ લાવવામાં આવી હતી. એક મહિનાના ક્વોરેન્ટાઇન રાખ્યા બાદ આજે (28 માર્ચ, 2025) શુક્રવારે કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં મુલાકાતીઓને નિહાળવા માટે મૂકવામાં આવ્યા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, મધ્યપ્રદેશ ખાતે આવેલા ગ્વાલિયર પ્રાણી સંગ્રહાલય અને અમદાવાદના કાંકરિયા પ્રાણીસંગ્રહાલય અને વચ્ચે પ્રાણી-પક્ષીઓનો વિનીમય કરવા સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી, નવી દિલ્હીની મંજૂરી મળી હતી.જે અંતર્ગત 16 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ પ્રાણીસંગ્રહાલયથી વિનમય કરવા માટેના પ્રાણી, પક્ષીઓ અને સરીસૃપો ગ્વાલીયર ખાતે લઈ જવામાં આવ્યા હતા. ગ્વાલીયરથી વાઘની એક જોડી (નર-માદા) અને કાળીયારની પાંચ જોડી (માદા 5 અને નર 5) કાંકરિયા પ્રાણીસંગ્રહાલય ખાતે ત્રણ ટ્રક મારફતે લાવવામાં આવ્યા હતા. પ્રાણીઓને સેન્ટ્રલ ઝુ ઓથોરીટી, નવી દિલ્હીના નીતિ નિયમો અનુસાર એક માસ સુધી કવોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા હતા. તેનો એક મહિનાનો પિરિયડ પૂરો થયા બાદ મેયર સહિતના પદાધિકારીઓ દ્વારા મુલાકાતીઓ માટે મૂકવામાં આવ્યા છે.

કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાંથી આપવામાં આવેલા પ્રાણી, પક્ષીઓ, સરીસૃપોના દર વર્ષે મોટી સંખ્યામાં બચ્ચાંઓ જન્મે છે. વધારાના આ પ્રાણી પક્ષીઓ અને સરીસૃપો ગ્વાલિયર પ્રાણીસંગ્રહાલયને આપવામાં આવેલા છે. હાલમાં અમદાવાદ ઝૂ ખાતે એક સિંહ અને બે સિંહણ, એક સફેદ વાઘણ અને 5 વાઘણ તથા 1 વાઘ (નર), 9 દિપડા જેમાં 4 નર અને 5 માદા, 1 રીંછ, 1 હાથી, 2 હિપોપોટેમસ, 10 શિયાળ અને મોટી સંખ્યામાં પક્ષીઓ અને સરીસૃપો કુલ મળી 2100 ઉપરાંત વન્ય પ્રાણીઓને કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં રાખવામાં આવેલા છે.

ગરમીની સીઝનની શરૂઆત થતા કર્યા પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ માટે વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સિંહ, વાઘ, દીપડા સહિતના પ્રાણીઓને ગરમી તથા લૂથી બચાવવા માટે ઇન્ડસ્ટ્રીયલ કુલર મુકવામાં આવ્યા છે. કુલરથી પ્રાણીઓને ઠંડક મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત હાથી તેમજ હિપોપોટેમસના પાંજરામાં પાણીની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. બપોર બાદ પ્રાણીઓ અને પક્ષીઓ ઉપર પાણીનો પણ છંટકાવ કરવામાં આવે છે. અન્ય પક્ષીઓના પાંજરામાં ગ્રીનનેટ લગાવવામાં આવી છે. આમ પ્રાણીઓ અને પક્ષીઓને ગરમીથી રાહત માટે તે માટે વિશેષ કાળજી લેવામાં આવી રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...

અંબાજી શક્તિપીઠમાં ઈતિહાસ બદલાયો: હવે આઠમની મહાપૂજાના દર્શન તમામ ભક્તો કરી શકશે!

અંબાજી : શક્તિપીઠ અંબાજી મંદિરને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અંબાજી મંદિર સ્થાપના બાદનો અત્યાર સુધીનો સૌથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે....

ગિફ્ટ સિટીમાં દારૂના નિયમોમાં મોટો ફેરફાર, વિદેશી પ્રવાસીઓ તથા અન્ય રાજ્યના ઓળખપત્ર બતાવી મેળવી શકશે દારૂ

ગાંધીનગર : ગિફ્ટ સિટીના મુલાકાતીઓ અને કર્મચારીઓને ક્રિસમસ અને નવા વર્ષની શાનદાર ભેટ સમાન નિર્ણયમાં રાજ્ય સરકારે દારૂબંધીના નિયમમાં વધુ રાહત આપતું જાહેરનામું બહાર...

GSRTCની નવી પહેલ, હવે ST બસમાં મુસાફરી દરમિયાન મળશે ગરમાગરમ ભોજન, જાણો કઈ રીતે કરશો ઓર્ડર

ગાંધીનગર : ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરોની સુવિધામાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહ્યો છે. હાઈ-ટેક બસો બાદ હવે નિગમે મુસાફરોની જઠરાગ્નિ...

ઇમ્પેક્ટ ફીની મુદતમાં પાંચમી વખત છ માસનો વધારો, ગેરકાયદેસર બાંધકામ થઈ જશે કાયદેસર

ગાંધીનગર : ગુજરાત અનધિકૃત વિકાસ નિયમિત કાયદા 2022 હેઠળ રાજ્ય સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફી ભરીને ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા માટેની સમયમર્યાદા આગામી 6 મહિના...