Saturday, November 8, 2025

અમદાવાદીઓ માટે નવું નજરાણું : કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં ગ્વાલિયર ઝુના વાઘ-વાઘણ અને 5 કાળિયારની જોડી જોવા મળશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના કાંકરિયા ખાતે આવેલા પ્રાણીસંગ્રહાલયમાં ફરવા આવનારા લોકો માટે હવે નવા નજરાણાનો ઉમેરો થયો છે. મધ્યપ્રદેશના ગ્વાલિયર પ્રાણીસંગ્રહાલય ખાતેથી વાઘ અને કાળિયારની જોડીઓ લાવવામાં આવી હતી. એક મહિનાના ક્વોરેન્ટાઇન રાખ્યા બાદ આજે (28 માર્ચ, 2025) શુક્રવારે કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં મુલાકાતીઓને નિહાળવા માટે મૂકવામાં આવ્યા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, મધ્યપ્રદેશ ખાતે આવેલા ગ્વાલિયર પ્રાણી સંગ્રહાલય અને અમદાવાદના કાંકરિયા પ્રાણીસંગ્રહાલય અને વચ્ચે પ્રાણી-પક્ષીઓનો વિનીમય કરવા સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી, નવી દિલ્હીની મંજૂરી મળી હતી.જે અંતર્ગત 16 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ પ્રાણીસંગ્રહાલયથી વિનમય કરવા માટેના પ્રાણી, પક્ષીઓ અને સરીસૃપો ગ્વાલીયર ખાતે લઈ જવામાં આવ્યા હતા. ગ્વાલીયરથી વાઘની એક જોડી (નર-માદા) અને કાળીયારની પાંચ જોડી (માદા 5 અને નર 5) કાંકરિયા પ્રાણીસંગ્રહાલય ખાતે ત્રણ ટ્રક મારફતે લાવવામાં આવ્યા હતા. પ્રાણીઓને સેન્ટ્રલ ઝુ ઓથોરીટી, નવી દિલ્હીના નીતિ નિયમો અનુસાર એક માસ સુધી કવોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા હતા. તેનો એક મહિનાનો પિરિયડ પૂરો થયા બાદ મેયર સહિતના પદાધિકારીઓ દ્વારા મુલાકાતીઓ માટે મૂકવામાં આવ્યા છે.

કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાંથી આપવામાં આવેલા પ્રાણી, પક્ષીઓ, સરીસૃપોના દર વર્ષે મોટી સંખ્યામાં બચ્ચાંઓ જન્મે છે. વધારાના આ પ્રાણી પક્ષીઓ અને સરીસૃપો ગ્વાલિયર પ્રાણીસંગ્રહાલયને આપવામાં આવેલા છે. હાલમાં અમદાવાદ ઝૂ ખાતે એક સિંહ અને બે સિંહણ, એક સફેદ વાઘણ અને 5 વાઘણ તથા 1 વાઘ (નર), 9 દિપડા જેમાં 4 નર અને 5 માદા, 1 રીંછ, 1 હાથી, 2 હિપોપોટેમસ, 10 શિયાળ અને મોટી સંખ્યામાં પક્ષીઓ અને સરીસૃપો કુલ મળી 2100 ઉપરાંત વન્ય પ્રાણીઓને કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં રાખવામાં આવેલા છે.

ગરમીની સીઝનની શરૂઆત થતા કર્યા પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ માટે વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સિંહ, વાઘ, દીપડા સહિતના પ્રાણીઓને ગરમી તથા લૂથી બચાવવા માટે ઇન્ડસ્ટ્રીયલ કુલર મુકવામાં આવ્યા છે. કુલરથી પ્રાણીઓને ઠંડક મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત હાથી તેમજ હિપોપોટેમસના પાંજરામાં પાણીની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. બપોર બાદ પ્રાણીઓ અને પક્ષીઓ ઉપર પાણીનો પણ છંટકાવ કરવામાં આવે છે. અન્ય પક્ષીઓના પાંજરામાં ગ્રીનનેટ લગાવવામાં આવી છે. આમ પ્રાણીઓ અને પક્ષીઓને ગરમીથી રાહત માટે તે માટે વિશેષ કાળજી લેવામાં આવી રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...