Monday, September 15, 2025

અમદાવાદીઓ માટે નવું નજરાણું : કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં ગ્વાલિયર ઝુના વાઘ-વાઘણ અને 5 કાળિયારની જોડી જોવા મળશે

Share

Share

અમદાવાદ : અમદાવાદના કાંકરિયા ખાતે આવેલા પ્રાણીસંગ્રહાલયમાં ફરવા આવનારા લોકો માટે હવે નવા નજરાણાનો ઉમેરો થયો છે. મધ્યપ્રદેશના ગ્વાલિયર પ્રાણીસંગ્રહાલય ખાતેથી વાઘ અને કાળિયારની જોડીઓ લાવવામાં આવી હતી. એક મહિનાના ક્વોરેન્ટાઇન રાખ્યા બાદ આજે (28 માર્ચ, 2025) શુક્રવારે કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં મુલાકાતીઓને નિહાળવા માટે મૂકવામાં આવ્યા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, મધ્યપ્રદેશ ખાતે આવેલા ગ્વાલિયર પ્રાણી સંગ્રહાલય અને અમદાવાદના કાંકરિયા પ્રાણીસંગ્રહાલય અને વચ્ચે પ્રાણી-પક્ષીઓનો વિનીમય કરવા સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી, નવી દિલ્હીની મંજૂરી મળી હતી.જે અંતર્ગત 16 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ પ્રાણીસંગ્રહાલયથી વિનમય કરવા માટેના પ્રાણી, પક્ષીઓ અને સરીસૃપો ગ્વાલીયર ખાતે લઈ જવામાં આવ્યા હતા. ગ્વાલીયરથી વાઘની એક જોડી (નર-માદા) અને કાળીયારની પાંચ જોડી (માદા 5 અને નર 5) કાંકરિયા પ્રાણીસંગ્રહાલય ખાતે ત્રણ ટ્રક મારફતે લાવવામાં આવ્યા હતા. પ્રાણીઓને સેન્ટ્રલ ઝુ ઓથોરીટી, નવી દિલ્હીના નીતિ નિયમો અનુસાર એક માસ સુધી કવોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા હતા. તેનો એક મહિનાનો પિરિયડ પૂરો થયા બાદ મેયર સહિતના પદાધિકારીઓ દ્વારા મુલાકાતીઓ માટે મૂકવામાં આવ્યા છે.

કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાંથી આપવામાં આવેલા પ્રાણી, પક્ષીઓ, સરીસૃપોના દર વર્ષે મોટી સંખ્યામાં બચ્ચાંઓ જન્મે છે. વધારાના આ પ્રાણી પક્ષીઓ અને સરીસૃપો ગ્વાલિયર પ્રાણીસંગ્રહાલયને આપવામાં આવેલા છે. હાલમાં અમદાવાદ ઝૂ ખાતે એક સિંહ અને બે સિંહણ, એક સફેદ વાઘણ અને 5 વાઘણ તથા 1 વાઘ (નર), 9 દિપડા જેમાં 4 નર અને 5 માદા, 1 રીંછ, 1 હાથી, 2 હિપોપોટેમસ, 10 શિયાળ અને મોટી સંખ્યામાં પક્ષીઓ અને સરીસૃપો કુલ મળી 2100 ઉપરાંત વન્ય પ્રાણીઓને કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં રાખવામાં આવેલા છે.

ગરમીની સીઝનની શરૂઆત થતા કર્યા પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ માટે વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સિંહ, વાઘ, દીપડા સહિતના પ્રાણીઓને ગરમી તથા લૂથી બચાવવા માટે ઇન્ડસ્ટ્રીયલ કુલર મુકવામાં આવ્યા છે. કુલરથી પ્રાણીઓને ઠંડક મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત હાથી તેમજ હિપોપોટેમસના પાંજરામાં પાણીની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. બપોર બાદ પ્રાણીઓ અને પક્ષીઓ ઉપર પાણીનો પણ છંટકાવ કરવામાં આવે છે. અન્ય પક્ષીઓના પાંજરામાં ગ્રીનનેટ લગાવવામાં આવી છે. આમ પ્રાણીઓ અને પક્ષીઓને ગરમીથી રાહત માટે તે માટે વિશેષ કાળજી લેવામાં આવી રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...