Monday, September 15, 2025

અમદાવાદમાં જન્મ અને મરણની નોંધણીની ફીમાં થયો વધારો, હવે આટલા ચુકવવા પડશે

Share

Share

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જન્મ અને મરણના સર્ટિફિકેટ મેળવવા માટેના દરમાં વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના આદેશ બાદ AMCએ આ નિર્ણય લીધો છે. આ નવા નિયમો તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યા છે, જેના કારણે હવે નાગરિકોને આ સેવાઓ માટે વધુ ખર્ચ કરવો પડશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના આદેશ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનએ આ નિર્ણય કર્યો છે. જુદા જુદા હેતુ અને સમય મર્યાદા મુજબ માટે વિવિધ ચાર્જ જાહેર કરવામાં આવ્યા છે. આ ફી વધારો તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2018 બાદ વિવિધ ફીમાં વધારો કરાયો છે.

વિવિધ હેતુઓ અને સમય મર્યાદાઓ અનુસાર જુદા જુદા ચાર્જ નક્કી કરવામાં આવ્યા છે. આ ફી વધારો વર્ષ 2018 પછી કરવામાં આવ્યો છે. અગાઉ, AMCએ જન્મ પ્રમાણપત્રમાં સુધારાને લઈને એક નિયમ બનાવ્યો હતો, જેના મુજબ હવેથી પ્રમાણપત્રમાં માત્ર એક જ વાર સુધારો કરી શકાશે. નામ, પિતાનું નામ અને અટક સહિતની નોંધાયેલી વિગતોમાં ફેરફાર કરવા માટે જન્મ અને મૃત્યુ રજીસ્ટ્રારની કચેરીએ જતી વખતે અરજદારે ખાતરી કરવી પડશે કે આપેલી વિગતોની જોડણી સાચી છે.

AMCએ નામ બદલવાની વારંવારની વિનંતીઓથી પરેશાન થઈને આ નિર્ણય લીધો હતો. જ્યોતિષીય સલાહ મુજબ સુધારા કરવા અથવા ‘ભાઈ’ કે ‘કુમારી’ જેવા સન્માનિત શબ્દોને દૂર કરવા માટે હવે એકથી વધુ વખત ફેરફાર કરવામાં આવશે નહીં.

જન્મ અને મરણનાી 20 દિવસમાં નોંધણી કરાવો તો બે રૂપિયાના 20 રૂપિયા, 30 દિવસથી એક વર્ષ સુધી નોંધણી કરાવો તો પાંચ રૂપિયાના 50 થયા છે. જન્મ..મૃત્યુની એક વર્ષ પછી મેજિસ્ટ્રેટ દ્વારા કરાયેલ હુકમ બાદ નોંધણી કરવા માટે દસ રૂપિયાના સો રૂપિયા થયા છે. જન્મ મરણ નોંધણીના પ્રથમ વર્ષમાં નોંધ શોધવા માટે અગાઉ 2 રૂપિયા હતા હવે 20 રૂપિયા થયા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...