Saturday, November 8, 2025

અમદાવાદમાં જન્મ અને મરણની નોંધણીની ફીમાં થયો વધારો, હવે આટલા ચુકવવા પડશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જન્મ અને મરણના સર્ટિફિકેટ મેળવવા માટેના દરમાં વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના આદેશ બાદ AMCએ આ નિર્ણય લીધો છે. આ નવા નિયમો તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યા છે, જેના કારણે હવે નાગરિકોને આ સેવાઓ માટે વધુ ખર્ચ કરવો પડશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના આદેશ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનએ આ નિર્ણય કર્યો છે. જુદા જુદા હેતુ અને સમય મર્યાદા મુજબ માટે વિવિધ ચાર્જ જાહેર કરવામાં આવ્યા છે. આ ફી વધારો તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2018 બાદ વિવિધ ફીમાં વધારો કરાયો છે.

વિવિધ હેતુઓ અને સમય મર્યાદાઓ અનુસાર જુદા જુદા ચાર્જ નક્કી કરવામાં આવ્યા છે. આ ફી વધારો વર્ષ 2018 પછી કરવામાં આવ્યો છે. અગાઉ, AMCએ જન્મ પ્રમાણપત્રમાં સુધારાને લઈને એક નિયમ બનાવ્યો હતો, જેના મુજબ હવેથી પ્રમાણપત્રમાં માત્ર એક જ વાર સુધારો કરી શકાશે. નામ, પિતાનું નામ અને અટક સહિતની નોંધાયેલી વિગતોમાં ફેરફાર કરવા માટે જન્મ અને મૃત્યુ રજીસ્ટ્રારની કચેરીએ જતી વખતે અરજદારે ખાતરી કરવી પડશે કે આપેલી વિગતોની જોડણી સાચી છે.

AMCએ નામ બદલવાની વારંવારની વિનંતીઓથી પરેશાન થઈને આ નિર્ણય લીધો હતો. જ્યોતિષીય સલાહ મુજબ સુધારા કરવા અથવા ‘ભાઈ’ કે ‘કુમારી’ જેવા સન્માનિત શબ્દોને દૂર કરવા માટે હવે એકથી વધુ વખત ફેરફાર કરવામાં આવશે નહીં.

જન્મ અને મરણનાી 20 દિવસમાં નોંધણી કરાવો તો બે રૂપિયાના 20 રૂપિયા, 30 દિવસથી એક વર્ષ સુધી નોંધણી કરાવો તો પાંચ રૂપિયાના 50 થયા છે. જન્મ..મૃત્યુની એક વર્ષ પછી મેજિસ્ટ્રેટ દ્વારા કરાયેલ હુકમ બાદ નોંધણી કરવા માટે દસ રૂપિયાના સો રૂપિયા થયા છે. જન્મ મરણ નોંધણીના પ્રથમ વર્ષમાં નોંધ શોધવા માટે અગાઉ 2 રૂપિયા હતા હવે 20 રૂપિયા થયા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...