Wednesday, April 29, 2026

અમદાવાદની આ સ્કૂલના બસના નશેડી ડ્રાઈવરે સર્જ્યો અકસ્માત, સ્કૂલબસમાં બાળકો ન હોવાથી દુર્ઘટના ટળી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદની જાણીતી આનંદ નિકેતન સ્કૂલની બસ ઘાટલોડિયાની એક સોસાયટીમાં ઘૂસી હતી. સ્કૂલબસનો ડ્રાઇવર દારૂ પીધેલી હાલતમાં બસ ચલાવીને બાળકોને મૂકીને બસ લઈને પરત નીકળ્યો હતો.આ દરમિયાન બસ ઘાટલોડિયાની રહેણાક સોસાયટીમાં ઘૂસી હતી જ્યાં સોસાયટીના ગેટથી લઈને અંદર સુધી દીવાલ અને વાહનને અથડાઈ હતી.જોકે બાળકો સ્કૂલબસમાં ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલની બસ ઘાટલોડિયાની સ્કૂલનાં 35 બાળકોને સ્કૂલે મૂકીને આવી હતી.બસનો ડ્રાઇવર પ્રતિબંધિત રહેણાક વિસ્તારમાં બસ લઈને ઘૂસ્યો હતો. ઘાટલોડિયાની શ્રીનાથ સોસાયટીના કોમન પ્લોટની દીવાલને ટક્કર મારીને બસ સોસાયટીમાં ઘૂસી હતી, ત્યારબાદ સોસાયટીમાં બાળકો રમતાં હતાં ત્યારે બસ આવી હતી જ્યાં એક કારને ટક્કર મારી હતી.

બનાવને પગલે સોસાયટીના રહીશો એકઠા થઈ ગયા હતા.ડ્રાઈવરને નીચે ઉતારીને સોસાયટીના રહીશોએ રોકી રાખ્યો હતો. ડ્રાઈવર દારૂ પીધેલી હાલતમાં હતો જે શિલજથી નાલંદા સ્કૂલમાં 35 બાળકોને મૂકીને આવ્યો હતો.ડ્રાઈવર દારૂ પીધેલી હાલતમાં હતો જેની કબૂલાત પણ ડ્રાઇવરે કરી હતી અને જણાવ્યું હતું કે તે રોજ સાંજે દારૂ પીવે છે અને સવારે સ્કૂલબસ ચલાવે છે. જોકે બાળકો સ્કૂલબસમાં ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી.

સમગ્ર મામલે કેટલાક સવાલો થઇ રહ્યા છે જેમ કે સ્કૂલ બસમાં કોઈ કન્ડક્ટર કેમ ન હતો? બાળકોને સલામત રીતે બસમાં ચડાવવા અને ઉતારવા સહિતની જવાબદારી એક કન્ડક્ટરની હોય છે ત્યારે ચોંકાવનારી બાબત એ છે કે બસમાં કોઈ કન્ડક્ટર ન હતો અને રિવર્સ લેતી વખતે નશામાં ધૂત ડ્રાઈવરે બે જગ્યાએ અકસ્માત સર્જી દીધો. અન્ય એક ચોંકાવનારી બાબત એ પણ સામે આવી છે કે ડ્રાઈવર નશામાં છે કે કેમ તે જોવાની જવાબદારી સ્કૂલ પ્રશાસનની હોય છે. અહીં તો સ્કૂલ પ્રશાસન પણ ઉંઘતુ ઝડપાયુ છે. સ્કૂલ પ્રશાસનને ખબર જ નથી કે ડ્રાઈવર નશામાં છે. સ્કૂલમાં બસ લેવા જાય છે ત્યાંથી બાળકોને લેવા જાય છે એ દરમિયાન ડ્રાઈવર કઈ હાલતમાં છે તે જોવાની જવાબદારી શાળાની હોય છે.

સદ્દનસીબે આ ઘટનામાં બસમાં બેસેલા તમામ બાળકો સલામત છે. જો કે સૌથી મોટો સવાલ એ પણ છે કે આ નશેડી ડ્રાઈવરે કોઈ મોટો અકસ્માત સર્જ્યો હોત તો? બસમાં બેસેલા વિદ્યાર્થીઓની સલામતીનું શું ?

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...