Friday, July 24, 2026

અમદાવાદમાં 467 સોસાયટીઓમાં પરકોલેટીંગ વેલ બનાવવા કવાયત, જન પ્રતિનિધિઓની ગ્રાન્ટમાંથી બનશે

spot_img
Share

અમદાવાદ : શહેરમાં ભૂગર્ભ જળ ઊંડા ઉતરતા જાય છે. ભવિષ્યમાં પાણીની કોઈ સમસ્યા ઊભી ન થાય તે માટે વરસાદી પાણી જમીનમાં ઉતારવા માટે પરકોટિંગ વેલ યોજના બનાવવામાં આવી છે.જે અંતર્ગત શહેરના વિવિધ વિવિધ વિસ્તારોમાં આવેલી 3957 સોસાયટીના સર્વેમાંથી 467 સોસાયટી દ્વારા અરજી કરવામાં આવી છે.કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા ભૂગર્ભજળને ઊંચા લાવવા માટે દરેક સોસાયટીઓ અને ફ્લેટમાં પરકોલેટીંગ વેલ બનાવવા માટે સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીને અપીલ કરી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેરના વિવિધ વિવિધ વિસ્તારોમાં આવેલી 3957 સોસાયટીના સર્વેમાંથી 467 સોસાયટી દ્વારા અરજી કરવામાં આવી છે. 10 વેલનું કામ પૂર્ણ થયું છે જ્યારે 14નું કામ ચાલુ છે. 367 વેલનો અંદાજ મંજુર કરવામાં આવ્યો છે. જ્યારે 25નો અંદાજ મંજૂરીમાં છે. 148 સોસાયટીઓને ધારાસભ્ય, સાંસદ અને કોર્પોરેટરની ગ્રાન્ટ મળી છે. જેમાંથી પરકોલેટીંગ વેલ બનશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પોતાની જ બિલ્ડિંગમાં 1200 વેલ અને ખંભાતી કુવા બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.જળ એજ જીવન છે તેને ધ્યાનમાં રાખીને વિવિધ સોસાયટીમાં પરકોલેટીંગ વેલ બનાવમાં આવે તેના માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા પણ સોસાયટીના સેક્રેટરી અને ચેરમેનને પત્રો લખવામાં આવ્યા છે.

સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતરે તે માટે આયોજનો હાથ ધરવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને ખંભાતી કુવા અને પરકોલેટીંગ વેલને મહત્વ આપવામાં આવ્યું છે. સ્વર્ણિમ યોજના અંતર્ગત 20 ટકા સાંસદ, ધારાસભ્યો અને કોર્પોરેટરની ગ્રાન્ટ તથા 80 કોર્પોરેશનના બજેટને લઈને વેલ બનાવી આપવામાં આવશે. જેમાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ભૂગર્ભ જળને ઉંચા લાવવા માટે હાલમાં પરકોલેટીંગ વેલને મહત્વ આપવામાં આવી રહ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...