Thursday, March 19, 2026

અમદાવાદમાં ફરી કોન્સ્ટેબલ 5 લાખની લાંચ લેતા ઝડપાયો, વોન્ટેડ ગુનેગાર પાસેથી પાસા નહી કરવા લાંચ માંગી હતી

spot_img
Share

અમદાવાદ: ભ્રષ્ટાચારની ઘટનાઓ સાવ સામાન્ય બની ગઈ હોય તેમ રોજ એકાદ ઘટના પ્રકાશમાં આવતી રહે છે. ત્યારે બીજી તરફ ભ્રષ્ટાચારની ઘટનાઓ સામે લાલ આંખ કરીને એન્ટિ કરપ્શન બ્યૂરો (ACB) કાર્યવાહી કરી રહી છે. ત્યારે અમદાવાદનાં ચાંદખેડામાં પોલીસ કોન્સ્ટેબલને ACBએ લાંચ લેતો ઝડપી પાડ્યો હતો. પોલીસે વોન્ટેડ કરેલા આરોપીને તે ગુનામાં રજુ કરવા તેમજ પાસા નહી કરવા અંગે પાંચ લાખની લાંચ માંગી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં ફરીયાદીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. આથી ચાંદખેડા પોલીસ સ્ટેશનનાં કોન્સ્ટેબલ રજનીશ હરીભાઇએ તે ગુનામાં રજુ કરવા તેમજ પાસા એક્ટની કલમો નહિ લાગુ કરવા માટે 5,30,000 રૂપિયાની લાંચ માંગી હતી. જો કે ફરિયાદીએ હાલ તેની પાસે માત્ર 2 લાખ રૂપિયા હોય બાકીનાં પૈસા પછીથી આપવા જણાવ્યું હતું.

આથી ચાંદખેડાનાં નવા સી.જી.રોડ ચાર રસ્તા પર ACBએ ટ્રેપ કરી હતી. જેમાં ચાંદખેડા પોલીસ સ્ટેશનનાં કોન્સ્ટેબલ રજનીશ હરીભાઇએ ફરિયાદીને લાંચની રકમ આપવા બોલાવ્યો હતો અને આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલનાં કહેવાથી આ ગુનાના અન્ય એક આરોપી મીતુલ ઉર્ફે મોન્ટુ રાજુભાઇ ગોહીલે લાંચની રકમ લીધી હતી.

આ અગાઉ નારોલ પોલીસ સ્ટેશનનાં હેડ કોન્સ્ટેબલને ACBએ લાંચ લેતા ઝડપી લીધો હતો. કેસની વિગતો અનુસાર ફરિયાદીએ છેલ્લા ચારેક માસથી તેમણે દારૂનો ધંધો બંધ કરી દીધો હતો. આરોપી નારોલ પોલીસ સ્ટેશનનાં અનાર્મ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાતવતા વનરાજસિંહ વલકુભાઈ વાળાએ ફરીયાદી પાસે રૂ.2500ની માંગણી કરી હતી. જો પૈસા ના આપે તો દારૂના ખોટા કેસ કરવાની ધમકી આપી હતી.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...