Saturday, March 7, 2026

અમદાવાદના આ વિસ્તારમાં બેફામ દોડતી કારે રીક્ષાને મારી ટક્કર, દુર્ઘટનામાં 4 લોકો ઘાયલ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં ફરી એક વાર અકસ્માતની ઘટના સામે આવી છે. શાહીબાગમાં ડફનાળા પાસે રવિવારે વહેલી સવારે ગાડીનો અકસ્માત સર્જાયો હતો. ગાડી પૂરપાટ ઝડપે ડિવાઈડર કૂદીને સામેના રોડે પર પહોંચી જતાં એક રીક્ષા અને અન્ય કારને અથડાઈ હતી.કાર ચાલકે કાબુ ગુમાવી દેતા કાર પલટી ખાઈ ગઈ હતી. કાર પલટી ખાઈ રોડ પર ઉભેલી રિક્ષાને ટકરાઈ હતી. જેના પગલે કારમાં સવાર 4 લોકોને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.

મળતી માહિતી મુજબ, અમદાવાદમાં રવિવારે વહેલી સવારે 3 વાગ્યે વોક્સવેગન પોલો ગાડીચાલક એરપોર્ટ સર્કલથી ડફનાળા તરફ આવતો હતો. ત્યારે એસીબી ઓફિસની સામે વળાંકમાં ભાગે બ્રેક મારતા પોલો ગાડી ડિવાઇડર કૂદી સામેના ભાગે આવી ગઈ હતી. જે એક રીક્ષા તથા અન્ય ફોરવ્હીલ ગાડીને સાથે ટકરાઈ હતી. ગાડી ટકરાયા બાદ પોલો ગાડીમાં બેઠલા લોકો નીચે ઉતર્યા ત્યારબાદ ગાડીમાં શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ લાગી હતી. જેના કારણે ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી.

ટક્કર એટલી ભયાનક હતી કે, કાર પલટી ગઈ અને તેનું એન્જિન ફાટી ગયું અને બાદમાં કારમાં આગ પણ લાગી ગઈ હતી. અકસ્માતમાં એક ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી. જ્યારે રીક્ષા અને ગાડીને પણ સામાન્ય નુકસાન થયું હતું. અકસ્માતમાં પોલો ગાડીમાં બેઠેલા 3 લોકોને સામાન્ય ઇજા પહોંચી હતી જેમને સારવાર બાદ રજા આપી દેવામાં આવી હતી. જ્યારે રીક્ષામાં બેઠેલા બે લોકોને સામાન્ય ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...