Wednesday, March 4, 2026

અમદાવાદના આ યજમાન કરશે ભગવાન જગન્નાથનું લાખેણું મામેરું, જાણો કોણ છે ?

spot_img
Share

અમદાવાદ: ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓ છે તે હવે શરૂ થઈ જશે ભગવાનના રથયાત્રાની તૈયારી અખાત્રીજના દિવસથી શરૂ કરવામાં આવતી હોય છે પરંતુ તે પહેલા ભગવાન જગન્નાથ મામેરાની તૈયારી શરૂ કરવામાં આવી છે મામેરા માટેના યજમાન બનવા માટે છ લોકોએ નામ લખાવ્યા હતા જેનું આજે સરસપુર રણછોડરાયજી મંદિર ખાતે ડ્રો કરી લકી યજમાનનું નામ જાહેર કરવામાં આવ્યું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, દર વર્ષે રથયાત્રામાં સરસપુર રણછોડરાય મંદિર દ્વારા મામેરુ કરવામાં આવતું હોય છે, જેના માટેના યજમાન ડ્રો દ્વારા નક્કી કરાતા હોય છે. આગામી 27 જુન, 2025ના રોજ નીકળનારી ભગવાન જગન્નાથની 148મી રથયાત્રામાં ભગવાનના મામેરા માટે આજે રામનવમીના તહેવારના દિવસે સરસપુર રણછોડરાય મંદિર ખાતે ટ્રસ્ટીઓની હાજરીમાં એક નાની દીકરી દ્વારા તમામ યજમાનોના નામની ચિઠ્ઠીમાંથી એક ચિઠ્ઠી ઉપાડી અને ડ્રો કરવામાં આવ્યો હતો. જેમાં શહેરના વાસણા વિસ્તારમાં રહેતા જાગૃતિબેન મનીષભાઈ ત્રિવેદીને લાભ મળ્યો છે.

દર વર્ષે ભગવાનનું મામેરુ કરવા માટે મોટી સંખ્યામાં લોકો આ લ્હાવો લેવા માટે અરજીઓ કરતા હોય છે. વર્ષ 2025માં 148મી રથયાત્રા માટે કુલ છ જેટલા લોકો દ્વારા નામ નોંધાવવામાં આવ્યા છે, જેમાંથી વાસણાના જાગૃતિબેન ત્રિવેદીને આ માટે લાભ મળ્યો છે. મામેરાના યજમાન માટે અરજીઓ મંગાવવામાં આવતી હોય છે. ત્યારે વર્ષ 2031 સુધી ભગવાનના મામેરા માટેનું એડવાન્સ બુકિંગ થઈ ચૂક્યું છે. જે પણ લોકો નામ નોંધાવવા માંગતા હોય તેઓ અરજીઓ કરતા હોય છે અને દર વર્ષે તેમાંથી ડ્રો કરવામાં આવતો હોય છે.

છેલ્લા 8 વર્ષથી યજમાન બનવા માટે જાગૃતિબેન રાહ જોતા હતા. ભગવાન જગન્નાથ જીના મામેરૃ કરવાનો લાભ વાસણમાં રહેતા જાગૃતિબેન મનીષભાઈ ત્રિવેદીને મળશે. 8 વર્ષ બાદ જાગૃતિ બેનના ઘરે ભગવાન જગન્નાથજી મામેરું કરવાનો અવસર આવ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...