Wednesday, April 29, 2026

અમદાવાદના આ યજમાન કરશે ભગવાન જગન્નાથનું લાખેણું મામેરું, જાણો કોણ છે ?

spot_img
Share

અમદાવાદ: ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓ છે તે હવે શરૂ થઈ જશે ભગવાનના રથયાત્રાની તૈયારી અખાત્રીજના દિવસથી શરૂ કરવામાં આવતી હોય છે પરંતુ તે પહેલા ભગવાન જગન્નાથ મામેરાની તૈયારી શરૂ કરવામાં આવી છે મામેરા માટેના યજમાન બનવા માટે છ લોકોએ નામ લખાવ્યા હતા જેનું આજે સરસપુર રણછોડરાયજી મંદિર ખાતે ડ્રો કરી લકી યજમાનનું નામ જાહેર કરવામાં આવ્યું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, દર વર્ષે રથયાત્રામાં સરસપુર રણછોડરાય મંદિર દ્વારા મામેરુ કરવામાં આવતું હોય છે, જેના માટેના યજમાન ડ્રો દ્વારા નક્કી કરાતા હોય છે. આગામી 27 જુન, 2025ના રોજ નીકળનારી ભગવાન જગન્નાથની 148મી રથયાત્રામાં ભગવાનના મામેરા માટે આજે રામનવમીના તહેવારના દિવસે સરસપુર રણછોડરાય મંદિર ખાતે ટ્રસ્ટીઓની હાજરીમાં એક નાની દીકરી દ્વારા તમામ યજમાનોના નામની ચિઠ્ઠીમાંથી એક ચિઠ્ઠી ઉપાડી અને ડ્રો કરવામાં આવ્યો હતો. જેમાં શહેરના વાસણા વિસ્તારમાં રહેતા જાગૃતિબેન મનીષભાઈ ત્રિવેદીને લાભ મળ્યો છે.

દર વર્ષે ભગવાનનું મામેરુ કરવા માટે મોટી સંખ્યામાં લોકો આ લ્હાવો લેવા માટે અરજીઓ કરતા હોય છે. વર્ષ 2025માં 148મી રથયાત્રા માટે કુલ છ જેટલા લોકો દ્વારા નામ નોંધાવવામાં આવ્યા છે, જેમાંથી વાસણાના જાગૃતિબેન ત્રિવેદીને આ માટે લાભ મળ્યો છે. મામેરાના યજમાન માટે અરજીઓ મંગાવવામાં આવતી હોય છે. ત્યારે વર્ષ 2031 સુધી ભગવાનના મામેરા માટેનું એડવાન્સ બુકિંગ થઈ ચૂક્યું છે. જે પણ લોકો નામ નોંધાવવા માંગતા હોય તેઓ અરજીઓ કરતા હોય છે અને દર વર્ષે તેમાંથી ડ્રો કરવામાં આવતો હોય છે.

છેલ્લા 8 વર્ષથી યજમાન બનવા માટે જાગૃતિબેન રાહ જોતા હતા. ભગવાન જગન્નાથ જીના મામેરૃ કરવાનો લાભ વાસણમાં રહેતા જાગૃતિબેન મનીષભાઈ ત્રિવેદીને મળશે. 8 વર્ષ બાદ જાગૃતિ બેનના ઘરે ભગવાન જગન્નાથજી મામેરું કરવાનો અવસર આવ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...