Wednesday, April 29, 2026

અડાલજ-મહેસાણા હાઇવે પર આ બ્રિજનું સમારકામ, 15 મે સુધી ટ્રાફિકનું ડાયવર્ઝન, વૈકલ્પિક માર્ગો જાહેર

spot_img
Share

અમદાવાદ : અડાલજ-મહેસાણા હાઈવે પર આવેલા છત્રાલ બ્રિજ પર સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. આ સમારકામ 15 મે, 2025 સુધી ચાલશે. ટ્રાફિક સમસ્યાને ટાળવા માટે વૈકલ્પિક માર્ગો નક્કી કરવામાં આવ્યા છે.

અડાલજથી મહેસાણા જવા માટે વાહન ચાલકોએ કલોલ અંબિકાથી કલોલ ગાયત્રી મંદિર થઈને પિયજ ગામના પાટિયા તરફ જવું પડશે. ત્યાંથી વામજ, મેડાઆદરજ, કડી અને નંદાસણ થઈને મહેસાણા પહોંચી શકાશે.

મહેસાણાથી અડાલજ તરફ જવા માટે નંદાસણથી રાજપુર પાટિયા થઈને ઝુલાસણ ગામ, પાનસર ગામ, વડાવસ્વામી, ઈસંડ અને ઓળા ચોકડી માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે. ત્યાંથી જમણી બાજુ વળીને ઓળા-અમૃત હોટલ ચોકડી થઈને અડાલજ પહોંચી શકાશે.

મહેસાણાથી ગાંધીનગર જવા માટે બે વિકલ્પો છે. પ્રથમ રૂટમાં પાલાવાસણા ચોકડીથી રામપુરા ચોકડી થઈને ગોઝારિયા માર્ગે જઈ શકાશે. બીજા વિકલ્પમાં નંદાસણથી વડુ, પલિયડ, નારદીપુર અને રૂપાલ થઈને ગાંધીનગર પહોંચી શકાશે.

મહેસાણાથી અમદાવાદ જવા માટે નંદાસણ, કડી અને થોળ માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે. જાહેર જનતાને આ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...