Thursday, March 12, 2026

અમદાવાદ મેટ્રો ટ્રેનના મુસાફરો આ વાંચી લેજો, શનિવારે આ રૂટ પર બંધ રહેશે મેટ્રો સર્વિસ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ-ગાંધીનગરમાં દોડતી મેટ્રો ટ્રેનમાં રોજના હજારો લોકો મુસાફરી કરે છે, ત્યારે ગાંધીનગર રૂટ પર નિરીક્ષણની કામગીરી કરવાની હોવાથી આગામી 19 અપ્રિલે સવારે 8 વાગ્યાથી બપોરના 12:30 સુધી અમદાવાદ-ગાંધીનગર (મોટેરા સ્ટેડિયમ અને સેક્ટર-1/ગિફ્ટ સિટી) વચ્ચે મેટ્રો ટ્રેનની સેવા બંધ રહેશે.

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા પ્રેસનોટ જાહેર કરીને જણાવ્યું હતું કે, તા.19 એપ્રિલના રોજ સવારે 8 થી બપોરે 12:30 વાગ્યા સુધી ગાંધીનગર રૂટ (મોટેરા સ્ટેડિયમથી સચિવાલય/ગિફ્ટ સિટી) નું નિરીક્ષણ કરશે. જેથી મોટેરા સ્ટેડિયમ અને સેક્ટર-1/ગિફ્ટ સિટી વચ્ચે મેટ્રો ટ્રેન સેવાઓ એટલા સમય સુધી સ્થગિત રહેશે. ત્યારબાદ, અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની બધી ટ્રેનો હાલના સમયપત્રક મુજબ દોડશે.

જ્યારે બપોરના 12:30 વાગ્યા બાદ અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રૂટની તમામ ટ્રેનો હાલના સમય મુજબ કાર્યરત રહેશે. જેમાં 19 એપ્રિલે ગાંધીનગર રૂટ પરની પહેલી ટ્રેન બપોરે 12:58 વાગ્યે સેક્ટરથી મોટેરા સ્ટેડિયમ અને મોટેરા સ્ટેડિયમથી સેક્ટર-1ની ટ્રેનનો સમય બપોરે 13:12 વાગ્યાનો રહેશે. અમદાવાદમાં ટ્રેન સેવાઓ (વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ અને APMC થી મોટેરા સ્ટેડિયમ) રાબેતા મુજબ જ રહેશે.

સામાન્ય દિવસ કરતા IPL મેચના કારણે અમદાવાદ મેટ્રોની આવકમાં 2 ગણો વધારો થયો છે. અત્રે જણાવીએ કે, મેચને લઈ મેટ્રોના સમયમાં ફેરફાર કરી સમય લંબાવવામાં પણ આવ્યો હતો. ત્યારે અમદાવાદ મેટ્રોને IPLની મેચો ફળી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે IPL 2025ની ડે-નાઇટ મેચોને લઇને GMRCએ અમદાવાદ મેટ્રો ટ્રેન સેવા સવારના છ વાગ્યાથી રાત્રિના 12.30 વાગ્યા સુધીનો કરી છે. હાલમાં આ સેવા સવારના 6.20 થી રાત્રિના 10 વાગ્યા સુધી છે, પરંતુ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી મેચોને ધ્યાનમાં લઇ સમય સવારના 6 થી રાત્રિના 12.30 સુધીનો કરવામાં આવ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...