Wednesday, April 29, 2026

અમદાવાદમાં ડમી વિદ્યાર્થીઓ અંગે શાળાઓમાં સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવશે

spot_img
Share

અમદાવાદ: ડમી વિદ્યાર્થીઓને લઈને સીબીએસઈ બોર્ડની તપાસ બાદ હવે અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા સ્કૂલોને પરિપત્ર કર્યાે છે.જિલ્લા શિક્ષણ અધિકારીઓએ તમામ શાળાઓને ઉદ્દેશીને એક પરિપત્ર કર્યો છે અને આ મામલે કડક સૂચનો કર્યા છે.શાળામાં વિદ્યાર્થીનું માત્ર નામ બોલતું હોય અને વિદ્યાર્થી પોતે કોચિંગ ક્લાસમાં ભણવા જતો હોય એ પ્રકારનું કૌભાંડ છડે ચોક ચાલી રહ્યું છે. શાળામાં વિદ્યાર્થીઓ ગેરહાજર હોવા છતાં હાજરી પૂરાઈ રહી હોવાની અનેક ફરિયાદોને પગલે અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિક્ષણ અધિકારી એક્શન મોડમાં આવ્યા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિક્ષણાધિકારી કૃપા જ્હાએ તાબા હેઠળની તમામ બોર્ડની સ્કૂલોને વિદ્યાર્થીઓની હાજરીને લઈને પરિપત્ર કર્યાે છે. જેમાં જણાવાયું છે કે, જિલ્લામાં ગુજરાત બોર્ડ સિવાયની સીબીએસઈ તેમજ અન્ય બોર્ડ સાથે એફિલિયટેડ થયેલી શાળાઓમાં નવા સત્રની શરૂઆત થયેલી છે. જ્યારે ગુજરાત બોર્ડની સ્કૂલોમાં આગામી સમયમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે. જેથી તમામ સ્કૂલોએ શાળામાં નિયમિત હાજરીને લઈને નિયમોની અમલવારી કરવાની રહેશે.

શાળાઓમાં વિદ્યાર્થીઓ ગેરહાજર હોવા છતાં હાજરી પૂરાઈ રહી હોવાની ફરિયાદો ઉઠી હતી. મુખ્યત્વે ધોરણ 11-12ના વિદ્યાર્થીઓ JEE, NEET પરીક્ષાની તૈયારીઓ માટે શાળાએ આવવાનું ટાળતા હોય છે. કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓ ન આવતા હોવા છતાં ચોપડે હાજરી પૂરાતી હતી. શાળાઓમાં ચાલતી આ પ્રકારની બેદરકારી હવે નહીં ચલાવી લેવાય. તે મામલે જિલ્લા શિક્ષણ અધિકારીએ તમામ શાળાઓને ઉદ્દેશીને એક પરિપત્ર જાહેર કર્યો છે.

નવું શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલાં શાળાઓને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે. જેમાં મુખ્ય આદેશો મુજબ…

શાળાઓમાં વિદ્યાર્થીઓની 80% હાજરી ફરજિયાત છે.
દરરોજ ઓછામાં ઓછું 5 કલાક શૈક્ષણિક કાર્ય થવું જરૂરી છે.
શાળાઓમાં નિયમિત સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવશે.
હાજરીમાં અનિયમિતતા જણાય તો શાળાની માન્યતા રદ થઈ શકે છે.
કોઈપણ શાળા ખાનગી કોચિંગ ક્લાસ ચલાવી શકશે નહીં.

DEO ટીમ દ્વારા શાળાઓમાં નિયમિત ચકાસણી કરવામાં આવશે, અને જો કોઈ શાળા નિયમોનું પાલન નહીં કરે તો સખત કાર્યવાહી કરવામાં આવશે. આ પરિપત્રનો હેતુ શાળાઓને આગામી શૈક્ષણિક સત્રથી જ નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવાનો છે. DEOના આ પગલાંથી શાળાઓમાં શિસ્ત અને જવાબદારી વધશે તેવી આશા છે. વાલીઓ અને વિદ્યાર્થીઓને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ શાળાની નિયમિત હાજરી અને શૈક્ષણિક પ્રક્રિયામાં સહયોગ આપે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...