Wednesday, April 29, 2026

અમદાવાદના વિસ્તારમાંથી હાઈ પ્રોફાઈલ જુગારધામ ઝડપાયું, 11 જુગારીઓની ધરપકડ, મર્સિડીઝ-BMW જેવી લક્ઝુરિયસ કાર જપ્ત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં વધુ એક વખત હાઈ પ્રોફાઈલ જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદ શહેરના સિંધુભવન રોડ પરના અશ્વવિલા બંગલોમાં જુગારધામ પર પોલીસે દરોડા પાડ્યા છે. પોલીસે રેડ દરમિયાન જુગાર રમતા 11 જુગારીઓને ઝડપી પાડ્યા છે. છેલ્લા ત્રણ મહિનાથી કોઇન પર જુગાર રમાડવામાં આવતો હતો.આ કાર્યવાહીથી શહેરમાં ચાલતી આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ પર ફરી એકવાર પોલીસનો સપાટો બોલી ગયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ, બોડકદેવ પોલીસને બાતમી મળી હતી કે સિંધુ ભવન રોડ પર આવેલા અશ્વવિલા નામના બંગલા નંબર-૧૮માં મોટા પાયે જુગારધામ ચાલી રહ્યું છે. આ બાતમીના આધારે બોડકદેવ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતની ટીમે મોડી રાત્રે અશ્વવિલા બંગલામાં ઓચિંતો દરોડો પાડ્યો હતો.

પોલીસે જ્યારે બંગલામાં રેડ કરી ત્યારે અંદરના ભાગે જુગાર રમી રહેલા 11 જેટલા ઈસમોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. આ જુગારધામ બંગલાના માલિક શેફુ ઉર્ફે સ્નેહ કુમારપાલ શાહ દ્વારા ચલાવવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે. શેફુ ઉર્ફે સ્નેહ શાહ વ્યવસાયે ઓટોમોબાઈલ ગાડી લે-વેચનો વેપાર કરે છે. ચોંકાવનારી વાત એ છે કે જુગાર રમાડનાર શેફુ ઉર્ફે સ્નેહ શાહ વિરુદ્ધ અગાઉ પણ ક્રિકેટ સટ્ટાના કેસ થઈ ચૂક્યા છે.

પોલીસે જુગાર રમી રહેલા 11 જુગારીઓની ધરપકડ કરી હતી, જેમાં બંગલાના માલિકનો પણ સમાવેશ થાય છે. પકડાયેલા જુગારીઓમાં વિવિધ ક્ષેત્રોના હાઈ પ્રોફાઈલ લોકો સામેલ છે, જેમના નામ અને વિગતો નીચે મુજબ છે:

પકડાયેલા આરોપીઓ…

શેફુ ઉર્ફે સ્નેહ કુમારપાળ શાહ, રહે. અશ્વવિલા બંગલો સિંધુભવન, વ્યવસાય – ઓટોમોબાઈલ ગાડી લે-વેચ.
નવીન સુરેશ રાઠી, રહે. ઉત્તમ બંગલો વસ્ત્રાપુર, વ્યવસાય – AU ફાઇનાન્સ મેનેજર
ભીમરાજ ભટ્ટ, રહે ભાવન પીજી સાઉથ બોપલ, વ્યવસાય – રસોઈયો
અમિત સુર રહે, માલાબા કાઉન્ટ્રી ચાંદખેડા, વ્યવસાય – આઈટી કંપની પ્રોજેક્ટ કામ કરે
હિરેન મિસ્ત્રી, રહે શિવનગર સોસાયટી, ચાણક્યપુરી, વ્યવસાય – બ્રોકર
અશોક પંચારિયા, રહે વૃંદાવન બંગલો થલતેજ, વ્યવસાય – જમીન લે-વેચ
રવિ ભાયલાણી, ફ્લોરેન્સ સ્કાય સિટી શેલા, વ્યવસાય – ખાંડનો વેપારી
ચિન્મય રાવલ, રહે ઓર્ચિડ હાર્મની એપલવુડ શેલા, વ્યવસાય – સીસીટીવી ઓપરેટિંગ સિસ્ટમ
શ્રેણિક શાહ, રહે સેરીનિટલ લેવિસ કેપિટલ, સાયન્સ સીટી રોડ, વ્યવસાય – રીયલ એસ્ટેટ બ્રોકર
મોહિત દેસાઈ, રહે તીર્થભૂમિ ફ્લેટ એલિસ બ્રિજ, વ્યવસાય – બિલ્ડર
અભિષેક ગાંધી, રહે સારાંશ ગ્રીન ફ્લેટ ધરણીધર દેરાસર, વ્યવસાય – ફાઇનાન્સ

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...