Thursday, March 5, 2026

અમદાવાદના વિસ્તારમાંથી હાઈ પ્રોફાઈલ જુગારધામ ઝડપાયું, 11 જુગારીઓની ધરપકડ, મર્સિડીઝ-BMW જેવી લક્ઝુરિયસ કાર જપ્ત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં વધુ એક વખત હાઈ પ્રોફાઈલ જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદ શહેરના સિંધુભવન રોડ પરના અશ્વવિલા બંગલોમાં જુગારધામ પર પોલીસે દરોડા પાડ્યા છે. પોલીસે રેડ દરમિયાન જુગાર રમતા 11 જુગારીઓને ઝડપી પાડ્યા છે. છેલ્લા ત્રણ મહિનાથી કોઇન પર જુગાર રમાડવામાં આવતો હતો.આ કાર્યવાહીથી શહેરમાં ચાલતી આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ પર ફરી એકવાર પોલીસનો સપાટો બોલી ગયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ, બોડકદેવ પોલીસને બાતમી મળી હતી કે સિંધુ ભવન રોડ પર આવેલા અશ્વવિલા નામના બંગલા નંબર-૧૮માં મોટા પાયે જુગારધામ ચાલી રહ્યું છે. આ બાતમીના આધારે બોડકદેવ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતની ટીમે મોડી રાત્રે અશ્વવિલા બંગલામાં ઓચિંતો દરોડો પાડ્યો હતો.

પોલીસે જ્યારે બંગલામાં રેડ કરી ત્યારે અંદરના ભાગે જુગાર રમી રહેલા 11 જેટલા ઈસમોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. આ જુગારધામ બંગલાના માલિક શેફુ ઉર્ફે સ્નેહ કુમારપાલ શાહ દ્વારા ચલાવવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે. શેફુ ઉર્ફે સ્નેહ શાહ વ્યવસાયે ઓટોમોબાઈલ ગાડી લે-વેચનો વેપાર કરે છે. ચોંકાવનારી વાત એ છે કે જુગાર રમાડનાર શેફુ ઉર્ફે સ્નેહ શાહ વિરુદ્ધ અગાઉ પણ ક્રિકેટ સટ્ટાના કેસ થઈ ચૂક્યા છે.

પોલીસે જુગાર રમી રહેલા 11 જુગારીઓની ધરપકડ કરી હતી, જેમાં બંગલાના માલિકનો પણ સમાવેશ થાય છે. પકડાયેલા જુગારીઓમાં વિવિધ ક્ષેત્રોના હાઈ પ્રોફાઈલ લોકો સામેલ છે, જેમના નામ અને વિગતો નીચે મુજબ છે:

પકડાયેલા આરોપીઓ…

શેફુ ઉર્ફે સ્નેહ કુમારપાળ શાહ, રહે. અશ્વવિલા બંગલો સિંધુભવન, વ્યવસાય – ઓટોમોબાઈલ ગાડી લે-વેચ.
નવીન સુરેશ રાઠી, રહે. ઉત્તમ બંગલો વસ્ત્રાપુર, વ્યવસાય – AU ફાઇનાન્સ મેનેજર
ભીમરાજ ભટ્ટ, રહે ભાવન પીજી સાઉથ બોપલ, વ્યવસાય – રસોઈયો
અમિત સુર રહે, માલાબા કાઉન્ટ્રી ચાંદખેડા, વ્યવસાય – આઈટી કંપની પ્રોજેક્ટ કામ કરે
હિરેન મિસ્ત્રી, રહે શિવનગર સોસાયટી, ચાણક્યપુરી, વ્યવસાય – બ્રોકર
અશોક પંચારિયા, રહે વૃંદાવન બંગલો થલતેજ, વ્યવસાય – જમીન લે-વેચ
રવિ ભાયલાણી, ફ્લોરેન્સ સ્કાય સિટી શેલા, વ્યવસાય – ખાંડનો વેપારી
ચિન્મય રાવલ, રહે ઓર્ચિડ હાર્મની એપલવુડ શેલા, વ્યવસાય – સીસીટીવી ઓપરેટિંગ સિસ્ટમ
શ્રેણિક શાહ, રહે સેરીનિટલ લેવિસ કેપિટલ, સાયન્સ સીટી રોડ, વ્યવસાય – રીયલ એસ્ટેટ બ્રોકર
મોહિત દેસાઈ, રહે તીર્થભૂમિ ફ્લેટ એલિસ બ્રિજ, વ્યવસાય – બિલ્ડર
અભિષેક ગાંધી, રહે સારાંશ ગ્રીન ફ્લેટ ધરણીધર દેરાસર, વ્યવસાય – ફાઇનાન્સ

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...