Thursday, March 12, 2026

અમદાવાદમાં આટલી ઇમારતો પાસે ફાયર વિભાગની પરમીશન નથી, AUDAએ નોટીસ ફટકારી

spot_img
Share

અમદાવાદ: અમદાવાદમાં AUDAએ BU પરમિશન, ફાયર NOC વગરની 750 બિલ્ડિંગને નોટિસ ફટકારી છે. આ બિલ્ડીંગો માટેની BU પરમિશન અને ફાયર NOC 15 દિવસની અંદર જમા કરાવવાની રહેશે. એટલું જ નહીં.. આ સમયગાળા દરમ્યાન બિલ્ડીંગનો ઉપયોગ ન કરવા માટે પણ નોટિસમાં તાકીદ કરાઇ છે.. આ દરમ્યાન જો બિલ્ડીંગમાં દુર્ઘટના કે અકસ્માતની ઘટના બનશે તો જે તે માલિક જવાદાર ગણાશે તેવું પણ કહેવાયું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, AUDA પાઠવેલી નોટિસોમાં 15 દિવસની અંદર બિલ્ડિંગ યુઝ (BU) પરમીશન અને ફાયર NOC સબમિટ કરવાની માંગ કરવામાં આવી છે. આ સાથે ચેતવણી પણ આપવામાં આવી છે કે સુચનાનું પાલન કરવામાં નહીં આવેતો ગંભીર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે, જે અતર્ગત જગ્યા સીલ પણ કરવામાં આવી શકે છે.

સરકારે ઇમ્પેક્ટ ફીની જોગવાઈ પણ લાવી છે. છતાં બહુ ઓછા લોકોએ અનધિકૃત ઇમારતોને નિયમિત કરવા માટે અરજી કરી છે. AUDA ની નોટિસ મુજબ, BU પરમીશન અથવા ફાયર NOC વગરની ઇમારતોએ 15 દિવસની અંદર અરજી કરવી જરૂરી છે. આ સમયગાળા દરમિયાન, તેઓ ઇમારતનો ઉપયોગ કરી શકશે નહીં.

આ તમામ ઇમારતોને 25 દિવસ અગાઉ જ નોટિસો પાઠવી દેવામાં આવી હતી પરંતુ તેઓએ તેનો કોઇ પ્રત્યુત્તર આપ્યો નહોતો તેવું પણ સામે આવ્યું છે જેને પગલે ઔડાએ હવે કડક પગલા લેવાની તૈયારી કરી છે.

રાજકોટ જેવી દુર્ઘટના અટકાવવા માટે આ પગલા ભરવામાં આવ્યા છે. જો આવી કોઈ ઘટના બનશે, તો બિલ્ડીંગના માલિકને જવાબદાર ઠેરવવામાં આવશે અને કાર્યવાહી કરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...