Thursday, March 5, 2026

અમદાવાદમાં ફરી બેફામ BRTS, ઇલેક્ટ્રિક વાહન પર ઘરે જતા વૃદ્ધને ટક્કર મારતા મોત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં BRTS બસનો વધુ એક આતંક સામે આવ્યો છે. અમદાવાદના સાબરમતી વિસ્તારમાં BRTS બસે વધુ એક જીવ લીધો છે.સાબરમતી અચેર ચાર રસ્તા પાસેથી વૃદ્ધ દવા લઈને ઘરે આવતા હતા, ત્યારે તેમણે એક પૂરપાટ ઝડપે આવી રહેલી BRTS બસે ટક્કર મારી હતી. વૃદ્ધ ઇલેક્ટ્રિક વાહન લઈને નીચે પડ્યા હતાં, જેમાં તેમણે ગંભીર ઇજા થતા સ્થળ પર જ મોત થયું હતું. આ અંગે એલ ડિવિઝન ટ્રાફિક પોલીસે BRTS બસના ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સાબરમતીમાં રહેતા સંજય તિવારીએ એલ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તેમના 85 વર્ષીય પિતા કેશવપ્રસાદ તિવારી આસારામ આશ્રમમાં સેવા આપે છે. ગઈકાલે 26 એપ્રિલે સવારે તેઓ ઇલેક્ટ્રિક વાહન લઈને નવરંગપુરા આયુર્વેદિક દવા લેવા અને ચેકઅપ લેવા માટે ગયા હતા. બપોરે દોઢ વાગે સંજયભાઈના ફોન પર આશ્રમમાંથી યોગેશ ભાટીનો ફોન આવ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે, તમારા પિતાનો સાબરમતી અચેર ખાતે BRTS બસ સાથે અકસ્માત થયો છે, જેથી સ્થળ પર જ તેમનું મોત થયું છે.

સંજયભાઇએ સ્થળ પર પહોંચીને જોયું ત્યારે તેમાં પિતાની લાશ રોડની બાજુમાં પડી હતી. તેમના પિતાને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી, જેના કારણે તેમનું મોત થયું છે. સાબરમતી અચેર તરફથી તેઓ રોડ ક્રોસ કરીને આવી રહ્યા હતા, ત્યારે BRTS બસે ટક્કર મારી હતી, જેથી તેમનું મોત થયું છે. આ અંગે એલ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...