Friday, January 16, 2026

અમદાવાદમાં ફરી બેફામ BRTS, ઇલેક્ટ્રિક વાહન પર ઘરે જતા વૃદ્ધને ટક્કર મારતા મોત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં BRTS બસનો વધુ એક આતંક સામે આવ્યો છે. અમદાવાદના સાબરમતી વિસ્તારમાં BRTS બસે વધુ એક જીવ લીધો છે.સાબરમતી અચેર ચાર રસ્તા પાસેથી વૃદ્ધ દવા લઈને ઘરે આવતા હતા, ત્યારે તેમણે એક પૂરપાટ ઝડપે આવી રહેલી BRTS બસે ટક્કર મારી હતી. વૃદ્ધ ઇલેક્ટ્રિક વાહન લઈને નીચે પડ્યા હતાં, જેમાં તેમણે ગંભીર ઇજા થતા સ્થળ પર જ મોત થયું હતું. આ અંગે એલ ડિવિઝન ટ્રાફિક પોલીસે BRTS બસના ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સાબરમતીમાં રહેતા સંજય તિવારીએ એલ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તેમના 85 વર્ષીય પિતા કેશવપ્રસાદ તિવારી આસારામ આશ્રમમાં સેવા આપે છે. ગઈકાલે 26 એપ્રિલે સવારે તેઓ ઇલેક્ટ્રિક વાહન લઈને નવરંગપુરા આયુર્વેદિક દવા લેવા અને ચેકઅપ લેવા માટે ગયા હતા. બપોરે દોઢ વાગે સંજયભાઈના ફોન પર આશ્રમમાંથી યોગેશ ભાટીનો ફોન આવ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે, તમારા પિતાનો સાબરમતી અચેર ખાતે BRTS બસ સાથે અકસ્માત થયો છે, જેથી સ્થળ પર જ તેમનું મોત થયું છે.

સંજયભાઇએ સ્થળ પર પહોંચીને જોયું ત્યારે તેમાં પિતાની લાશ રોડની બાજુમાં પડી હતી. તેમના પિતાને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી, જેના કારણે તેમનું મોત થયું છે. સાબરમતી અચેર તરફથી તેઓ રોડ ક્રોસ કરીને આવી રહ્યા હતા, ત્યારે BRTS બસે ટક્કર મારી હતી, જેથી તેમનું મોત થયું છે. આ અંગે એલ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...