Thursday, March 5, 2026

અમદાવાદમાં પાર્કિંગ મુદ્દે ડબલ સ્ટાન્ડર્ડ નીતિ, નાના વેપારીઓને દંડ, શો-રૂમ, મોલ અને ક્લબ બાકાત

spot_img
Share

અમદાવાદ: શહેરમાં AMCના એસ્ટેટ અને ટીડીઓ વિભાગની ડબલ સ્ટાન્ડર્ડ નીતિ સામે આવી છે. એક તરફ નાના વેપારીઓ અને છુટક લારી ગલ્લા ઉઠાવી મસમોટી કાર્યવાહી કરી હોવાના દાવો કરવામાં આવે છે. પરંતુ બીજી તરફ જાહેર રસ્તા પર દબાણ હોય કે પછી જાહેર રસ્તા પર ટ્રાફિક મુદ્દે થતી ડ્રાઇવ હોય, પણ આ તમામ કાર્યવાહીનો દંડો નાના વેપારીઓ પર જ AMC અને પોલીસ ઉઘામે છે. પરંતુ મોટી ક્લબો, મોટા મોલ, શો-રૂમ સહિત બિલ્ડિંગો કે મોટા એકમ સામે ક્યારેય આકરા પગલા લેવામાં આવતા નથી.

પ્રાપ્ત વિગતો મુજબ, તાજેતરમાં અમદાવાદમાં કર્ણાવતી ક્લબ સામે આવેલી એસ.જી હાઇવે પર આવેલ ઇસ્કોન ગાંઠિયા, કર્ણાવતી સેન્ક્સ, ગજાનંદ પૌંઆ હાઉસ વગેરે ધંધાકીય પ્રવૃત્તિ કરતા એકમોને તેઓની દુકાન આવતા મુલાકાતો માટે પાર્કિંગની વ્યવસ્થા કરવા માટે લેખિત તેમજ વારંવાર મૌખિક સૂચનાઓ આપવા છતાં વાહનોના પાર્કિંગ માટે યોગ્ય વ્યવસ્થા ન થતાં આખરે AMC દ્વારા વાહનોના પરિવહનની સરળતા રહે તે હેતુસર 12 દુકાનો સીલ કરવામાં આવી હતી, જેનો દુકાનદારો અને વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

એક દુકાનદારને મત મુજબ, અમદાવાદ શહેરમાં અનેક ક્લબ, મોલ શો-રૂમ સહિત મોટા એકમ મોટી બિલ્ડિંગ આવેલી છે. જેની બહાર આડેધડ રસ્તા પર પાર્કિંગ થાય છે. જોકે AMC કે પોલીસના એક પણ અધિકારીઓ ત્યાં કોઈ કાર્યવાહી કરવા જતા નથી પરંતુ નાના વેપારીઓના દુકાન પર પહોંચી રોફ જમાવી દુકાનો સીલ કરી વાહનો લૂંટી રહ્યા છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે AMC કે પોલીસની કાર્યવાહીમાં હમેશા નાનો દુકાનદાર કે વેપારીઓ જ કાર્યવાહીનો ભોગ બનતો હોય છે, મોટા મોલ, શો-રૂમ સહિત બિલ્ડિંગો કે મોટા એકમ સામે ક્યારેય આકરા પગલા લેવામાં આવતા નથી.

ગુજરાત હાઇકોર્ટ સતત અમદાવાદ મહાનગર પાલિકાને આકરા શબ્દોમાં ટકોર કરી છે, કે શહેરમાં રસ્તાઓ લોકોના અવર-જવર માટે છે. નહીં કે ગેરકાયદે દબાણ માટે, પોલીસ કે AMC હાઇકોર્ટ દ્વારા સતત વેધક સવાલ કરાઈ રહ્યા છે. તેમ છતાં AMC અને પોલીસ વિભાગ કંઈક આંકડાઓ રમત રમી રહ્યું છે. હાઇકોર્ટના આદેશ પાલન કરવા અને મસમોટા આંકડાઓ બતાવવા માટે સીલગ ઝુંબેશ તેમજ દબાણ દૂર કરવાની કામગીરી તો થાય છે પણ માત્ર મોટા આંકડાઓની રમત કરવા માટે નહીં કે ખરા અર્થમાં કામગીરી કરવા માટે થાય છે.

નોંધનીય છે કે આ 12 એકમ સામે અન્ય એક ખાનગી ક્લબ પણ આવેલી છે. જેઓની કાર જાહેર રસ્તાઓ પર પાર્કિંગ થાય છે. પણ ત્યાં AMC કે પોલીસ વિભાગ કોઈ કાર્યવાહી નહીં કરે, કારણ કે અહીં સાહેબ પરિવાર સાથે ક્લબમાં જાય છે. તેમજ શહેરની અનેક એવી ઇમારતો હોય છે કે જ્યાં પાર્કિંગ આડેધડ થઈ રહી છે. તેમ છતાં કોઈ કાર્યવાહી થતી નથી.

માત્ર નાના વેપારીઓ અને લારી ગલ્લાઓ ઉઠાવી આંકડાઓ તૈયાર કરી હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવે છે. ટ્રાફિક કે પાર્કિંગ મુદ્દે હાલ કોઈ પોલિસી નથી. પાર્કિંગ મુદ્દે તૈયાર થયેલી પોલિસી અભરાઈ ચઢાવી દેવામાં આવી છે. હવે ખરેખર ટ્રાફિક સમસ્યા અને વસ્તી જોઈએ પાર્કિંગ પોલિસી અમલ કરવાની તાતી જરૂરિયાત ઊભી થઈ છે. જેમાં એકનો ગોળ અને એકને ખોળ પ્રથા બંધ કરવાની જરૂર છે. તો જ ખરા અર્થમાં પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યા હલ થશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...