મદાવાદ : અમદાવાદ શહેર સહિત રાજ્યની અનેક સ્કૂલો દ્વારા વાલી RTE હેઠળ મળેલ પ્રવેશ કન્ફર્મેશન માટે જાય છે ત્યારે સ્કૂલો દ્વારા વધારાના દસ્તાવેજ માંગણી સ્કૂલો દ્વારા થતી હોવાની વિગતો સામે આવી છે. જેમાં આવકનો દાખલો ફોર્મ ભરતી વખતે સબમિટ કર્યો હોવા છતાં આવકના અન્ય પુરાવાઓ માંગતા હોવાની ફરિયાદો ઉઠી છે, જેને લઈને બાળકોના પ્રવેશ કન્ફર્મેશન માટે જતા વાલીઓ પાસેથી ખોટા કે વધારાના કોઈ પણ દસ્તાવેજ ન માંગવા માટે શાળાઓને આદેશ કરવામા આવ્યો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, DEO દ્વારા તમામ ખાનગી શાળાઓને RTEના પ્રવેશને લઈને પરિપત્ર કરવામા આવ્યો છે અને સૂચના આપવામા આવી છે કે, RTEમાં જેટલા બાળકોને પ્રવેશ ફાળવાયો છે તેટલા બાળકોના વાલીઓ સ્કૂલમાં પ્રવેશ કન્ફર્મ કરાવવા માટે આવે ત્યારે તેઓ પાસેથી જરૂર હોય તેટલા જ ડોક્યુમેન્ટની ઓરિજનલ કોપી માંગવામા આવે તેમજ એડમિટ કાર્ડમાં જણાવ્યા સિવાયના વધારાના કોઈ પણ ખોટા ડોક્યુમેન્ટ કે દસ્વાતેજ વાલી પાસેથી માંગવામા ન આવે.એડમિટ કાર્ડમાં જણાવ્યા સિવાયના વધારાના કોઈ પણ ખોટા ડોક્યુમેન્ટ કે દસ્વાતેજ વાલી પાસેથી માંગવામા ન આવે.
બાળકોને પ્રવેશ આપી દેવાની કાર્યવાહી 8મી મે સુધીમાં પૂર્ણ કરવાની રહેશે. પ્રવેશ કન્ફર્મ થતા વાલીને ફરજીયાત પહોંચ આપવાની રહેશે. જો બાળકનો પ્રવેશ થયો હશે અથવા તો વાલીએ કન્ફર્મ કરાવ્યો હશે અને જો સ્કૂલે એડમિટ કરવાની કાર્યવાહી નહીં કરી હોય તો તે જગ્યા ખાલી સમજી બીજા રાઉન્ડમાં તેના પર બીજા વિદ્યાર્થીને પ્રવેશ અપાશે. જેથી એક જ જગ્યા પર બે વિદ્યાર્થીના પ્રવેશ થશે તો જવાબદારી સ્કૂલની રહેશે અને જો સ્કૂલ દ્વારા ખોટા ડોક્યુમેન્ટ મંગાશે તો પણ સ્કૂલ સામે કાર્યવાહી કરાશે.