Friday, March 13, 2026

મોડીરાતે અમદાવાદ પોલીસ કમિશ્નરની 10 થી વધુ પોલીસ સ્ટેશનોમાં સરપ્રાઇઝ વિઝીટ અને ચેકીંગ

spot_img
Share

અમદાવાદ : ઓપરેશન સિંદુર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુધ્ધના ભણકારા વાગી રહ્યા છે ત્યારે અમદાવાદમાં પોલીસ એલર્ટ છેકે નહી તે જોવા માટે શહેર પોલીસ કમીશ્નર જી.એસ. મલિક મોડીરાતે સરપ્રાઇઝ ચેંકીગમાં નીકળ્યા હતા. ગુજરાતમાં હાઇએલર્ટ હોવાથી પોલીસ સતર્ક છે કે નહી તે ચેક કરવુ જરુરી છે જેના કારણે પોલીસ કમીશ્નર મોડીરાતે સરપ્રાઇઝ ચેંકીગમાં નીકળ્યા હતા. રાતે એક વાગ્યાથી સવાર સુધીમાં પોલીસ કમીશ્નર જી.એસ. મલિક શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી. કમીશ્નરને તમામ પોલીસ સ્ટેશનની સતર્કતા ચકાસણી કરી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેર પોલીસ કમીશ્નરે શહેરના કૃષ્ણનગર, નરોડા, બાપુનગર, રખિયાલ, ગોમતીપુર, ખોખરા, ઇસનપુર, મણીનગર, કારંજ, ગાયકવાડ હવેલી, એલિસબ્રિજ પોલીસ સ્ટેશનની સરપ્રાઇઝ વિઝીટ કરી હતી. આ સિવાય પોલીસ કમીશ્નરને પોલીસ સ્ટેશનમાં નાઈટ રાઉન્ડમાં રહેલા પોલીસ ઇન્સ્પેક્ટર, કર્મચારીઓ, પી.સી.આર. વાહનો તેમજ નાકાબંધી પોઇન્ટ પર ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને ચેક કર્યા હતા અને તમામને એલર્ટ રહેવા માટેની સુચના આપવામાં આવી હતી. આ બાદમાં જી.એસ. મલિકે પોલીસ કંટ્રોલ રૂમની વિઝીટ લીધી હતી. પોલીસ કમીશ્નરે લીધેલી ઓંચીતી મુલાકાતમાં તમામ પોલીસ કર્મચારીઓ પોતાની ફરજ બરાબર નિભાવતા હોવાનું સામે આવ્યુ હતું.

મોડીરાતે પોલીસ કમીશ્નર જી.એસ. મલિકે સરપ્રાઇઝ મુલાકાત લેતા પોલીસકર્મીઓ ચોંકી ગયા હતા. પોલીસ કમીશ્નરે સ્ટેશન ડાયરી ચેક કરી હતી જ્યારે તમામ પોલીસ કર્મીઓને એલર્ટ રહેવાના આદેશ કર્યા હતા. ગુજરાતમાં એલર્ટના પગલે પોલીસ કમીશ્નર જી.એસ. મલિકે તમામ પોલીસ અધિકારીઓ સાથે મીંટીગ પણ યોજી હતી. ભારત-પાકિસ્તાન વચ્ચેની સ્થિતિમાં કોઈ ઇમરજન્સી અથવા બ્લેક આઉટ દરમિયાન પોલીસ દવારા કેવા પ્રકારની તકેદારી રાખવી, સ્થાનિક વહીવટીતંત્ર, હોસ્પિટલ સાથે સંકલન રાખવા બાબતે માર્ગદર્શન આપ્યુ હતું.

ઉલ્લેખનીય છેકે થોડા દિવસ પહેલા અમદાવાદના ચંડોળા તળાવમાં બની ગયેલુ મિની બાંગ્લાદેશ પોલીસ તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સાફ કરી દીધુ હતું જેને લઇને માહોલ ગરમાયો હતો. પોલીસે સંખ્યાબંધ બાંગ્લાદેશીઓને પણ ઝડપી લીધા હતા જેના કારણે એલર્ટ જેવો માહોલ હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...