Friday, March 13, 2026

અમદાવાદમાં એક જ દિવસમાં AMTS બે અકસ્માતો, ટેમ્પોચાલક અને પેસેન્જર ઇજાગ્રસ્ત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં AMTS બસના બે અલગ-અલગ અકસ્માત સર્જાયા છે. આ અકસ્માતમાં 15 મુસાફરોને નાની-મોટી ઇજા પહોંચી છે. દિલ્હી દરવાજા પાસે બે AMTS બસ વચ્ચે અકસ્માત સર્જાતા 3 મહિલાને સારવારમાં ખસેડવાની ફરજ પડી હતી. જ્યારે કાલુપુર બ્રિજ પાસેના અકસ્માતમાં બસની પાછળ ટેમ્પો ઘૂસી જતા ટેમ્પોચાલક ઇજાગ્રસ્ત થયો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, પ્રથમ અકસ્માતની ઘટનામાં શહેરના દિલ્હી દરવાજા પાસે બપોરના સમયે AMTS બસ જઈ રહી હતી, એક બાઈક ચાલક અચાનક આગળ આવી જતા પાછળથી આવી રહેલ અન્ય બસ સાથે ટકરાઈ હતી. બે બસ વચ્ચેના અકસ્માતમાં બસમાં બેઠેલા 15 જેટલા પેસેન્જરને નાની-મોટી ઈજા પહોંચી છે. જોકે, 3 મહિલાને વધુ ઇજા પહોચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આ અંગે પોલીસને કોઈ ફરિયાદ મળી નથી.

બીજી અકસ્માતની ઘટનામાં કાલુપુર બ્રિજ પર બપોરના સમયે AMTS બસ પસાર થઈ રહી હતી. ત્યારે પાછળથી લોડિંગ ટેમ્પો આવી રહ્યો હતો, જે બસમાં પાછળ ઘૂસી ગયો હતો. લોડિંગ ટેમ્પો ચાલકને અકસ્માતમાં ઇજા પહોંચી હતી. બનાવને કારણે બ્રિજ પર ટ્રાફિકજામ પણ થયો હતો. બનાવની જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચીને કાર્યવાહી શરૂ કરી છે.

તમને જણાવી દઈએ કે AMTS બસોના ધણા ડ્રાઇવરો શિખાઉ અથવા લાયસન્સ ધરાવતાં નથી. ચાલુ બસે મોબાઈલ પર વાતો કરતાં હોય છે. દારૂ પીને બસો ચલાવતાં હોય છે. જેથી અસામાન્ય વધુ સ્પીડમાં ડ્રાઇવર દ્વારા કંટ્રોલ ના થતો હોઈ અકસ્માત કરી બેસે તેવી ઘટના અવારનવાર બનવા પામે છે તેમ છતાં સત્તાધારી AMTS ના હોદ્દેદારો મળતીયા કોન્ટ્રાકરોને છાવરે છે શા માટે?

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...