Monday, September 21, 2026

IPLના રસિયાઓ માટે મોટા સમાચાર, IPL 2025 ફાઇનલ અને ક્વોલિફાયર 2 ની નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે

spot_img
Share

અમદાવાદ : IPL ના રસિયાઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. IPL 2025ની ફાઇનલ મેચ આ વખતે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે તેવી જાહેરાત કરવામાં આવી છે. 3 જૂને IPL 2025ની ફાઇનલ મેચ યોજાવાની છે. ઓપરેશન સિંદૂર બાદ સુરક્ષાના ભાગ રૂપે IPL રદ્દ કરવામાં આવ્યો હતો. જેના થોડા દિવસ બાદ ફરી શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું. પરંતુ સ્થળો જાહેર કરવામાં આવ્યા નહોતા. ફાઇનલ તો અમદાવાદમાં રમાશે જ પણ સાથે જ 1 જૂને યોજાનારી ક્વોલિફાયર-2 પણ અહીંયા જ યોજાશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ફાઇનલ મેચ હવે અમદાવાદમાં રમાશે. 9 મેના રોજ, ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા લશ્કરી તણાવને કારણે IPL 2025 એક અઠવાડિયા માટે સ્થગિત કરવામાં આવી હતી. આ પછી, BCCI એ 13 મે ના રોજ એક નવું શેડ્યૂલ બહાર પાડ્યું. તે સમયપત્રકમાં, બધી મેચોની તારીખો બદલવામાં આવી હતી. અગાઉ જાહેર કરાયેલા સમયપત્રક મુજબ, IPL ફાઇનલ 25 મેના રોજ રમાવાની હતી પરંતુ હવે તે 3 જૂને અમદાવાદમાં રમાશે.

રિપોર્ટ અનુસાર, પ્લેઓફની પહેલી બે મેચ એટલે કે ક્વોલિફાયર-1 અને એલિમિનેટર મેચ મુલ્લાનપુરમાં રમાશે. આ બંને મેચ 29 અને 30 મેના રોજ રમાશે. બીજી ક્વોલિફાયર મેચ અમદાવાદમાં રમાશે. હકીકતમાં, દેશમાં વરસાદની મોસમ ધીમે ધીમે શરૂ થઈ ગઈ છે અને તેને ધ્યાનમાં રાખીને, BCCI એ પ્લેઓફ મેચો માટે આ મેદાનોની પસંદગી કરી છે.

IPL 2025 ના પ્લેઓફમાં ત્રણ ટીમોએ પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. આ ત્રણ ટીમો ગુજરાત ટાઇટન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ છે. હવે છેલ્લા સ્થાન માટે મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો ચાલુ છે. હવે જોવાનું એ રહે છે કે આ બે ટીમોમાંથી કઈ ટીમ અંતિમ ચારમાં પહોંચવામાં સફળ રહે છે. IPLની ચાલુ સિઝનમાં 9 વધુ લીગ મેચ રમવાની છે. છેલ્લી લીગ મેચ 27 મેના રોજ રમાશે અને ત્યારબાદ પ્લેઓફ મેચો શરૂ થશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...