Tuesday, April 28, 2026

IPLના રસિયાઓ માટે મોટા સમાચાર, IPL 2025 ફાઇનલ અને ક્વોલિફાયર 2 ની નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે

spot_img
Share

અમદાવાદ : IPL ના રસિયાઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. IPL 2025ની ફાઇનલ મેચ આ વખતે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે તેવી જાહેરાત કરવામાં આવી છે. 3 જૂને IPL 2025ની ફાઇનલ મેચ યોજાવાની છે. ઓપરેશન સિંદૂર બાદ સુરક્ષાના ભાગ રૂપે IPL રદ્દ કરવામાં આવ્યો હતો. જેના થોડા દિવસ બાદ ફરી શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું. પરંતુ સ્થળો જાહેર કરવામાં આવ્યા નહોતા. ફાઇનલ તો અમદાવાદમાં રમાશે જ પણ સાથે જ 1 જૂને યોજાનારી ક્વોલિફાયર-2 પણ અહીંયા જ યોજાશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ફાઇનલ મેચ હવે અમદાવાદમાં રમાશે. 9 મેના રોજ, ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા લશ્કરી તણાવને કારણે IPL 2025 એક અઠવાડિયા માટે સ્થગિત કરવામાં આવી હતી. આ પછી, BCCI એ 13 મે ના રોજ એક નવું શેડ્યૂલ બહાર પાડ્યું. તે સમયપત્રકમાં, બધી મેચોની તારીખો બદલવામાં આવી હતી. અગાઉ જાહેર કરાયેલા સમયપત્રક મુજબ, IPL ફાઇનલ 25 મેના રોજ રમાવાની હતી પરંતુ હવે તે 3 જૂને અમદાવાદમાં રમાશે.

રિપોર્ટ અનુસાર, પ્લેઓફની પહેલી બે મેચ એટલે કે ક્વોલિફાયર-1 અને એલિમિનેટર મેચ મુલ્લાનપુરમાં રમાશે. આ બંને મેચ 29 અને 30 મેના રોજ રમાશે. બીજી ક્વોલિફાયર મેચ અમદાવાદમાં રમાશે. હકીકતમાં, દેશમાં વરસાદની મોસમ ધીમે ધીમે શરૂ થઈ ગઈ છે અને તેને ધ્યાનમાં રાખીને, BCCI એ પ્લેઓફ મેચો માટે આ મેદાનોની પસંદગી કરી છે.

IPL 2025 ના પ્લેઓફમાં ત્રણ ટીમોએ પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. આ ત્રણ ટીમો ગુજરાત ટાઇટન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ છે. હવે છેલ્લા સ્થાન માટે મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો ચાલુ છે. હવે જોવાનું એ રહે છે કે આ બે ટીમોમાંથી કઈ ટીમ અંતિમ ચારમાં પહોંચવામાં સફળ રહે છે. IPLની ચાલુ સિઝનમાં 9 વધુ લીગ મેચ રમવાની છે. છેલ્લી લીગ મેચ 27 મેના રોજ રમાશે અને ત્યારબાદ પ્લેઓફ મેચો શરૂ થશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...