Monday, September 21, 2026

કાચબાગતિએ ફેલાઈ રહેલા કોરોના વચ્ચે AMA ના પ્રેસિડેન્ટની મોટી સલાહ, આ લક્ષણો દેખાય તો સાવચેત રહેજો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં ફરી એક વખત કાચબાગતિએ વધી રહેલા કોરોના કેસથી સાવધ રહેવાની જરૂર છે.AMAના પ્રેસિડેન્ટ ધીરેન મહેતાએ આ નિવેદન આપ્યું છે. ચીનમાં કોરોના ફરીવાર ફેલાતા અહીં પણ લોકોમાં ડર ફેલાયો છે. પરંતુ ડરવાની જરૂર ન હોવાનું નિષ્ણાંતોનું કહેવું છે. રસીના કારણે ઈમ્યુનિટી જનરેટ થઈ ચુકી છે. પરંતુ નિષ્ણાંતો ભીડથી દૂર રહેવાની અને લક્ષણો દેખાય તો તાત્કાલિક ડૉક્ટરને બતાવવાની સલાહ આપી રહ્યા છે. સાથે જ બાળકો અને વડીલોનું વિશેષ ધ્યાન રાખવાનું સૂચન તબીબો કરી રહ્યા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, કોરોનાના કેસમાં વધારો થતા AMA (અમદાવાદ મેડિકલ એસોસિશન) ના પ્રેસિડેન્ટ ધીરેન મહેતાએ કહ્યું કે, થોડા સમય પહેલા ચીનમાં ફેલાતા ફરીવાર આપણને ડર છે. ઓમીક્રોન વાયરસ જ હાલ પણ જોવા મળી રહ્યો છે, જે વધુ ભયાનક નથી. મોટાભાગના લોકોએ વેક્સીન લીધી છે તો હર્ડ ઇમ્યુનીટી જનરેટ થઈ ચુકી છે. કોરોનાના કારણે બિનજરૂરી પેનિક થવાની જરૂર નથી. બાળકોને થાય તો ન્યુમોનિયા થઈ શકે છે. તેઓએ સૂચનો આપતા કહ્યું કે, વડીલોને પણ સાવચેતી રાખવાની જરૂર છે. લક્ષણો દેખાય તો ભીડથી દૂર રહો. લક્ષણો દેખાય તો તાત્કાલિક ડોક્ટરને બતાવો. રોગપ્રતિકારક શક્તિ સારી રહે તે માટે સંતુલિત ખોરાક લો. સરકાર સાથે આગામી સીચવેશન માટે AMA પણ તૈયાર છે.

અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 4 કોરોનાના નવા કેસ નોંધાયા છે. શહેરના તમામ દર્દીઓ પૈકી એક 84 વર્ષીય પુરુષ હોસ્પિટલમાં દાખલ છે. બાકીના તમામ અન્ય દર્દીઓ હાલમાં હોમ આઈસોલેશનમાં છે. તો કડીમાં પણ એક યુવક પોઝિટિવ છે.મે મહિનામાં કોરોનાના કેસમાં ઉછાળો નોંધાયો છે. મે મહિનામાં 38 કેસ નોંધાયા છે. જે પૈકી 31 કેસ એક્ટિવ છે. આ સાથે AMC સંચાલિત SVP, શારદાબેન અને એલ.જી.હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ ઊભા કરાયા છે.

ગુજરાતમાં કોરોના વાયરસે ફરીથી પગપેસારો કરતા આરોગ્ય તંત્રએ ફરી એકવાર એલર્ટ મોડ ચાલુ કર્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં કોરોનાના નવા કેસ ધીરે ધીરે નોંધાઈ રહ્યા છે. તાજેતરમાં રાજ્યભરમાં કુલ 9 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર દ્વારા તમામ જિલ્લાઓમાં આગોતરા આયોજન શરૂ કરવામાં આવ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...