Tuesday, April 28, 2026

કાચબાગતિએ ફેલાઈ રહેલા કોરોના વચ્ચે AMA ના પ્રેસિડેન્ટની મોટી સલાહ, આ લક્ષણો દેખાય તો સાવચેત રહેજો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં ફરી એક વખત કાચબાગતિએ વધી રહેલા કોરોના કેસથી સાવધ રહેવાની જરૂર છે.AMAના પ્રેસિડેન્ટ ધીરેન મહેતાએ આ નિવેદન આપ્યું છે. ચીનમાં કોરોના ફરીવાર ફેલાતા અહીં પણ લોકોમાં ડર ફેલાયો છે. પરંતુ ડરવાની જરૂર ન હોવાનું નિષ્ણાંતોનું કહેવું છે. રસીના કારણે ઈમ્યુનિટી જનરેટ થઈ ચુકી છે. પરંતુ નિષ્ણાંતો ભીડથી દૂર રહેવાની અને લક્ષણો દેખાય તો તાત્કાલિક ડૉક્ટરને બતાવવાની સલાહ આપી રહ્યા છે. સાથે જ બાળકો અને વડીલોનું વિશેષ ધ્યાન રાખવાનું સૂચન તબીબો કરી રહ્યા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, કોરોનાના કેસમાં વધારો થતા AMA (અમદાવાદ મેડિકલ એસોસિશન) ના પ્રેસિડેન્ટ ધીરેન મહેતાએ કહ્યું કે, થોડા સમય પહેલા ચીનમાં ફેલાતા ફરીવાર આપણને ડર છે. ઓમીક્રોન વાયરસ જ હાલ પણ જોવા મળી રહ્યો છે, જે વધુ ભયાનક નથી. મોટાભાગના લોકોએ વેક્સીન લીધી છે તો હર્ડ ઇમ્યુનીટી જનરેટ થઈ ચુકી છે. કોરોનાના કારણે બિનજરૂરી પેનિક થવાની જરૂર નથી. બાળકોને થાય તો ન્યુમોનિયા થઈ શકે છે. તેઓએ સૂચનો આપતા કહ્યું કે, વડીલોને પણ સાવચેતી રાખવાની જરૂર છે. લક્ષણો દેખાય તો ભીડથી દૂર રહો. લક્ષણો દેખાય તો તાત્કાલિક ડોક્ટરને બતાવો. રોગપ્રતિકારક શક્તિ સારી રહે તે માટે સંતુલિત ખોરાક લો. સરકાર સાથે આગામી સીચવેશન માટે AMA પણ તૈયાર છે.

અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 4 કોરોનાના નવા કેસ નોંધાયા છે. શહેરના તમામ દર્દીઓ પૈકી એક 84 વર્ષીય પુરુષ હોસ્પિટલમાં દાખલ છે. બાકીના તમામ અન્ય દર્દીઓ હાલમાં હોમ આઈસોલેશનમાં છે. તો કડીમાં પણ એક યુવક પોઝિટિવ છે.મે મહિનામાં કોરોનાના કેસમાં ઉછાળો નોંધાયો છે. મે મહિનામાં 38 કેસ નોંધાયા છે. જે પૈકી 31 કેસ એક્ટિવ છે. આ સાથે AMC સંચાલિત SVP, શારદાબેન અને એલ.જી.હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ ઊભા કરાયા છે.

ગુજરાતમાં કોરોના વાયરસે ફરીથી પગપેસારો કરતા આરોગ્ય તંત્રએ ફરી એકવાર એલર્ટ મોડ ચાલુ કર્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં કોરોનાના નવા કેસ ધીરે ધીરે નોંધાઈ રહ્યા છે. તાજેતરમાં રાજ્યભરમાં કુલ 9 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર દ્વારા તમામ જિલ્લાઓમાં આગોતરા આયોજન શરૂ કરવામાં આવ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...