Tuesday, February 17, 2026

કાચબાગતિએ ફેલાઈ રહેલા કોરોના વચ્ચે AMA ના પ્રેસિડેન્ટની મોટી સલાહ, આ લક્ષણો દેખાય તો સાવચેત રહેજો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં ફરી એક વખત કાચબાગતિએ વધી રહેલા કોરોના કેસથી સાવધ રહેવાની જરૂર છે.AMAના પ્રેસિડેન્ટ ધીરેન મહેતાએ આ નિવેદન આપ્યું છે. ચીનમાં કોરોના ફરીવાર ફેલાતા અહીં પણ લોકોમાં ડર ફેલાયો છે. પરંતુ ડરવાની જરૂર ન હોવાનું નિષ્ણાંતોનું કહેવું છે. રસીના કારણે ઈમ્યુનિટી જનરેટ થઈ ચુકી છે. પરંતુ નિષ્ણાંતો ભીડથી દૂર રહેવાની અને લક્ષણો દેખાય તો તાત્કાલિક ડૉક્ટરને બતાવવાની સલાહ આપી રહ્યા છે. સાથે જ બાળકો અને વડીલોનું વિશેષ ધ્યાન રાખવાનું સૂચન તબીબો કરી રહ્યા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, કોરોનાના કેસમાં વધારો થતા AMA (અમદાવાદ મેડિકલ એસોસિશન) ના પ્રેસિડેન્ટ ધીરેન મહેતાએ કહ્યું કે, થોડા સમય પહેલા ચીનમાં ફેલાતા ફરીવાર આપણને ડર છે. ઓમીક્રોન વાયરસ જ હાલ પણ જોવા મળી રહ્યો છે, જે વધુ ભયાનક નથી. મોટાભાગના લોકોએ વેક્સીન લીધી છે તો હર્ડ ઇમ્યુનીટી જનરેટ થઈ ચુકી છે. કોરોનાના કારણે બિનજરૂરી પેનિક થવાની જરૂર નથી. બાળકોને થાય તો ન્યુમોનિયા થઈ શકે છે. તેઓએ સૂચનો આપતા કહ્યું કે, વડીલોને પણ સાવચેતી રાખવાની જરૂર છે. લક્ષણો દેખાય તો ભીડથી દૂર રહો. લક્ષણો દેખાય તો તાત્કાલિક ડોક્ટરને બતાવો. રોગપ્રતિકારક શક્તિ સારી રહે તે માટે સંતુલિત ખોરાક લો. સરકાર સાથે આગામી સીચવેશન માટે AMA પણ તૈયાર છે.

અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 4 કોરોનાના નવા કેસ નોંધાયા છે. શહેરના તમામ દર્દીઓ પૈકી એક 84 વર્ષીય પુરુષ હોસ્પિટલમાં દાખલ છે. બાકીના તમામ અન્ય દર્દીઓ હાલમાં હોમ આઈસોલેશનમાં છે. તો કડીમાં પણ એક યુવક પોઝિટિવ છે.મે મહિનામાં કોરોનાના કેસમાં ઉછાળો નોંધાયો છે. મે મહિનામાં 38 કેસ નોંધાયા છે. જે પૈકી 31 કેસ એક્ટિવ છે. આ સાથે AMC સંચાલિત SVP, શારદાબેન અને એલ.જી.હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ ઊભા કરાયા છે.

ગુજરાતમાં કોરોના વાયરસે ફરીથી પગપેસારો કરતા આરોગ્ય તંત્રએ ફરી એકવાર એલર્ટ મોડ ચાલુ કર્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં કોરોનાના નવા કેસ ધીરે ધીરે નોંધાઈ રહ્યા છે. તાજેતરમાં રાજ્યભરમાં કુલ 9 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર દ્વારા તમામ જિલ્લાઓમાં આગોતરા આયોજન શરૂ કરવામાં આવ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...