Thursday, March 12, 2026

PM મોદીનો અમદાવાદમાં રોડ શો, અલગ અલગ થીમ પર 20 જેટલા સ્ટેજ બંધાશે, જાણો રોડ શોનો રુટ

spot_img
Share

અમદાવાદ : ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત અમદાવાદ આવી રહેલા PM નરેન્દ્ર મોદીના પ્રવાસને લઇ તડામાર તૈયારી ચાલી રહી છે.અમદાવાદમાં PM મોદીનો ભવ્ય રોડ શો યોજાશે. ભાજપ સંગઠન દ્વારા PM મોદીના ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે.અમદાવાદ એરપોર્ટથી ઇંદીરા બ્રીજ સુધીનો રોડ શો યોજાશે. અમદાવાદ ભાજપ શહેર સંગઠન દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. અંદાજિત 50,000 જેટલા કાર્યકર્તા PMના રોડ-શો દરમિયાન ઉપસ્થિત રહે તેવી સંભાવના છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગુજરાત ભાજપ દ્વારા PM મોદીનાં સ્વાગત માટે એક રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અંતર્ગત 26 મી તારીખે PM જ્યારે એરપોર્ટ પર ઉતરશે ત્યાર બાદ 06.30 બાદ તેઓનાં રોડશોનું આયોજન કરવામાં આવ્યું છે. તેઓ અમદાવાદ એરપોર્ટથી ઇંદીરા બ્રીજ સુધીના રોડ શોનું આયોજન કરી રહ્યા છે. જેમાં PM નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહેશે. તિરંગા યાત્રા પણ આ દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે.એરપોર્ટ સર્કલથી લઈને ઇન્દિરા બ્રિજ સર્કલ સુધી રોડ શોમાં 20 જેટલા સ્ટેજ બાંધવામાં આવશે. એરપોર્ટથી લઈને ઇન્દિરા બ્રિજ લેબરી સર્કલ સુધી તિરંગા લગાવવામાં આવ્યા છે.ગુજરાતના મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓ અને ધારાસભ્યો અને સાંસદો પણ આ રોડ શોમા હાજર રહેશે.

PM ના રોડ શો માટે અમદાવાદ ભાજપ સંગઠન દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. મોટા પ્રમાણમાં લોકોને આ રોડ શોમાં હાજર રહેવા માટે પણ અપીલ કરવામાં આવી છે. આશરે 50 હજારથી પણ વધારે લોકો આ રોડ શોમાં હાજર રહે તેવી સંભાવના ભાજપ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ રોડ શો માટે અલગ અલગ થીમ પર ટેબ્લો તૈયાર કરવામાં આવ્યા છે. રોડ શો લઈને તમામ પ્રકારની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...