Tuesday, April 28, 2026

PM મોદીનો અમદાવાદમાં રોડ શો, અલગ અલગ થીમ પર 20 જેટલા સ્ટેજ બંધાશે, જાણો રોડ શોનો રુટ

spot_img
Share

અમદાવાદ : ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત અમદાવાદ આવી રહેલા PM નરેન્દ્ર મોદીના પ્રવાસને લઇ તડામાર તૈયારી ચાલી રહી છે.અમદાવાદમાં PM મોદીનો ભવ્ય રોડ શો યોજાશે. ભાજપ સંગઠન દ્વારા PM મોદીના ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે.અમદાવાદ એરપોર્ટથી ઇંદીરા બ્રીજ સુધીનો રોડ શો યોજાશે. અમદાવાદ ભાજપ શહેર સંગઠન દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. અંદાજિત 50,000 જેટલા કાર્યકર્તા PMના રોડ-શો દરમિયાન ઉપસ્થિત રહે તેવી સંભાવના છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગુજરાત ભાજપ દ્વારા PM મોદીનાં સ્વાગત માટે એક રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અંતર્ગત 26 મી તારીખે PM જ્યારે એરપોર્ટ પર ઉતરશે ત્યાર બાદ 06.30 બાદ તેઓનાં રોડશોનું આયોજન કરવામાં આવ્યું છે. તેઓ અમદાવાદ એરપોર્ટથી ઇંદીરા બ્રીજ સુધીના રોડ શોનું આયોજન કરી રહ્યા છે. જેમાં PM નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહેશે. તિરંગા યાત્રા પણ આ દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે.એરપોર્ટ સર્કલથી લઈને ઇન્દિરા બ્રિજ સર્કલ સુધી રોડ શોમાં 20 જેટલા સ્ટેજ બાંધવામાં આવશે. એરપોર્ટથી લઈને ઇન્દિરા બ્રિજ લેબરી સર્કલ સુધી તિરંગા લગાવવામાં આવ્યા છે.ગુજરાતના મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓ અને ધારાસભ્યો અને સાંસદો પણ આ રોડ શોમા હાજર રહેશે.

PM ના રોડ શો માટે અમદાવાદ ભાજપ સંગઠન દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. મોટા પ્રમાણમાં લોકોને આ રોડ શોમાં હાજર રહેવા માટે પણ અપીલ કરવામાં આવી છે. આશરે 50 હજારથી પણ વધારે લોકો આ રોડ શોમાં હાજર રહે તેવી સંભાવના ભાજપ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ રોડ શો માટે અલગ અલગ થીમ પર ટેબ્લો તૈયાર કરવામાં આવ્યા છે. રોડ શો લઈને તમામ પ્રકારની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...