Tuesday, January 13, 2026

PM મોદીનો અમદાવાદમાં રોડ શો, અલગ અલગ થીમ પર 20 જેટલા સ્ટેજ બંધાશે, જાણો રોડ શોનો રુટ

spot_img
Share

અમદાવાદ : ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત અમદાવાદ આવી રહેલા PM નરેન્દ્ર મોદીના પ્રવાસને લઇ તડામાર તૈયારી ચાલી રહી છે.અમદાવાદમાં PM મોદીનો ભવ્ય રોડ શો યોજાશે. ભાજપ સંગઠન દ્વારા PM મોદીના ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે.અમદાવાદ એરપોર્ટથી ઇંદીરા બ્રીજ સુધીનો રોડ શો યોજાશે. અમદાવાદ ભાજપ શહેર સંગઠન દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. અંદાજિત 50,000 જેટલા કાર્યકર્તા PMના રોડ-શો દરમિયાન ઉપસ્થિત રહે તેવી સંભાવના છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગુજરાત ભાજપ દ્વારા PM મોદીનાં સ્વાગત માટે એક રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અંતર્ગત 26 મી તારીખે PM જ્યારે એરપોર્ટ પર ઉતરશે ત્યાર બાદ 06.30 બાદ તેઓનાં રોડશોનું આયોજન કરવામાં આવ્યું છે. તેઓ અમદાવાદ એરપોર્ટથી ઇંદીરા બ્રીજ સુધીના રોડ શોનું આયોજન કરી રહ્યા છે. જેમાં PM નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહેશે. તિરંગા યાત્રા પણ આ દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે.એરપોર્ટ સર્કલથી લઈને ઇન્દિરા બ્રિજ સર્કલ સુધી રોડ શોમાં 20 જેટલા સ્ટેજ બાંધવામાં આવશે. એરપોર્ટથી લઈને ઇન્દિરા બ્રિજ લેબરી સર્કલ સુધી તિરંગા લગાવવામાં આવ્યા છે.ગુજરાતના મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓ અને ધારાસભ્યો અને સાંસદો પણ આ રોડ શોમા હાજર રહેશે.

PM ના રોડ શો માટે અમદાવાદ ભાજપ સંગઠન દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. મોટા પ્રમાણમાં લોકોને આ રોડ શોમાં હાજર રહેવા માટે પણ અપીલ કરવામાં આવી છે. આશરે 50 હજારથી પણ વધારે લોકો આ રોડ શોમાં હાજર રહે તેવી સંભાવના ભાજપ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ રોડ શો માટે અલગ અલગ થીમ પર ટેબ્લો તૈયાર કરવામાં આવ્યા છે. રોડ શો લઈને તમામ પ્રકારની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...