Thursday, March 5, 2026

અમદાવાદના વિસ્તારમાંથી કાફેની આડમાં ચાલતું હુક્કાબાર ઝડપાયું

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં ફરીથી હુક્કાબાર ધમધમતા થયા છે કે શું તેને લઈ સવાલો ઉભા થઈ રહ્યાં છે, નામાંકિત કેફેની આડમાં હુક્કાબારનો ધંધો ચાલતો હતો. શહેરના 24 કલાક ટ્રાફિકથી ધમધમતા એવા સરખેજ-ગાંધીનગર હાઈવે પર સરખેજ પોલીસે એક કાફેમાં આવેલા હુક્કાબારમાં દરોડા પાડયા હતા. જેમાં હર્બલ ફ્લૅવરની આડમાં નિકોટીનનો ઉપયોગ કરવામાં આવતો હતો. જેથી સરખેજ પોલીસે બ્રુ-રૉસ્ટ કાફેમાં આવેલા હુક્કાબારમાં દરોડા પાડી મુદ્દામાલ કબ્જે લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના પોશ વિસ્તાર અને યુવાઓથી ધમધમતા સરખેજ-ગાંધીનગર હાઈવે પરથી સરખેજ પોલીસે બાતમીના આધારે હુક્કાબાર પકડી પાડ્યો છે. સરખેજ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી જે દરમિયાન બાતમી મળી હતી કે એસજી હાઈવે પર સરખેજ મહંમદપુરા રોડ પર શ્રી રામ મોટર્સની બાજુમાં આવેલા બ્રુ રોસ્ટ કેફેમાં હુક્કાબાર ચાલે છે. જે હુક્કાબારમાં જુદા જુદા હર્બલ ફ્લેવરની જગ્યાએ નિકોટીન યુકત ફ્લેવરનાં તમાકુવાળા હુક્કા ભરી ગ્રાહકોને પીવડાવવામાં આવે છે, જેથી પોલીસે દરોડા પાડતા ત્યાંથી હુક્કાનો સામાન મળી આવ્યો હતો.

સરખેજ પોલીસે દરોડા પાડતા બ્રુ રોસ્ટ કેફેમાં હબીબ હક તેમજ જસ્ટીન પરેરા નામના બે શખ્સ મળી આવ્યા હતા, જેઓની પુછપરછ કરતા સામે આવ્યું કે આ કેફેમાં આવેલી રેસ્ટોરેન્ટ તેઓ મહિને 50 હજારનાં ભાડે ચલાવે છે, આ કેફેનાં ગાંધીનગરનાં દિવ્યરાજસિંહ ચાવડા, વિનય તિવારી અને જુહાપુરાનાં હામીદ ભાઈની ભાગીદારી માલિકીનું છે. પોલીસે કેફેમાં તપાસ કરતા 13 હુક્કા અને 13 હુક્કાની જુદી જુદી ફ્લેવર મળી આવી હતી, આણંદનો જસ્ટીન પરેરા આ હુક્કાબાર ચલાવતો હતો, પોલીસે કુલ 35 હજારનો મુદ્દામાલ જપ્ત કરી પકડાયેલા હુક્કાનાં ફ્લેવરને એફએસએલમાં મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...