Wednesday, March 11, 2026

અમદાવાદમાં જગતપુર પાસે ‘સિંદૂર વન’ બનાવાશે, 551 છોડ રોપવામાં આવશે, જાણો સિંદૂરનું મહત્વ ?

spot_img
Share

અમદાવાદ : ભારતીય સૈન્યએ પાર પાડેલા ‘ઓપરેશન સિંદૂર’ના માનમાં કોર્પોરેશન જગતપુર બ્રિજ પાસે મ્યુનિ.ના પ્લોટમાં ‘સિંદૂર વન’ નામે ઓક્સિજન પાર્ક બનાવશે. પાર્કમાં અંદાજે 12 હજાર છોડ ઉછેરવામાં આવશે. જેમાં 551 છોડ ‘સિંદૂર’ના હશે. પીપીપીધોરણે સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર તે વિકસાવશે અને 5 વર્ષ સુધી જાળવણી પણ કરશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં ચાંદલોડિયા વોર્ડના જગતપુર બ્રિજ પાસે સિંદૂર વન બનાવવામાં આવશે. વેસ્ટર્ન પ્રાઇઝ ફ્લેટની બાજુમાં, ટી.પી. 35, એફ.પી. 43/1 જગ્યા પસંદ કરવામાં આવી છે. અહીં 5 હજાર ચોરસ મીટર જગ્યામાં પીપીપી ધોરણે ઓક્સિજન પાર્ક (સિંદૂર વન) ડેવલોપ થશે.અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા સિંદૂર વન બનાવવામાં આવશે. આ વન જગતપુર બ્રિજ નજીક 5000 ચોરસ મીટર પ્લોટમાં તૈયાર થશે. જેની શરૂઆત વિશ્વ પર્યાવરણ દિવસ એટલે કે 5 જૂને થશે. પર્યાવરણ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં 551 સિંદૂરના વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે.

ભારતીય સંસ્કૃતિમાં સિંદૂરનું ખૂબ મહત્વ છે. શૌર્ય અને હિંમતના દેવતા હનુમાનજીને સિંદૂર ચઢે છે. જ્યારે મહિલાઓ પોતાના પતિની સુરક્ષા કાજે માથાના સેંથામાં સિંદૂર પૂરે છે. ત્યારે આ હિન્દુ ધર્મમાં પવિત્ર એવુ સિંદૂર સિંદૂરીયા તરીકે જાણીતા વૃક્ષના ફળના બીજમાંથી મળે છે. સિંદૂરના વૃક્ષ પ્રથમ કર્ણાટકમાં થતા હતા, પરંતુ ધીરે ધીરે દેશના ઘણા રાજ્યોમાં સિંદૂરના વૃક્ષો પહોંચ્યા છે. ગુજરાતમાં પણ મોટી સંખ્યામાં સિંદૂરીયો ઉગાડવામાં આવે છે.

ગુજરાતની આબોહવામાં સરળતાથી ઉગી નીકળતા સિંદૂરીયાના રોપા સમાજિક વનીકરણ વિભાગ તેમજ નર્સરીઓમાં મળી રહે છે. ખાસ કરીને ખેતરના શેઢે પાળે સિંદૂરીયો ઉગાડવામાં આવે છે. જે ખેડૂતને વધારાની આવક આપે છે. પીપળાના પાન જેવા જ પાન ધરાવતા સિંદૂરીયાને રોપા તેમજ તેની ડાળખીના ટુકડામાંથી પણ ઉગાડી શકાય છે. ત્રણથી ચાર વર્ષમાં તૈયાર થતા સિંદૂરના વૃક્ષ ઉપર થતા અનોખા ફળમાં દાણા દૂર બીજ હોય છે અને તેના ઉપર કેસરી રંગનું સિંદૂર મળે છે.

સિંદૂરીયા પરથી તેના ફળ કાઢી, એમાંથી દાણા (બીજ) છૂટા પાડીને પ્રોસેસ કરીને સિંદૂર પાવડર મેળવવામાં આવે છે. સિંદૂર પાવડર બજારમાં પ્રતિ 100 ગ્રામ 240 રૂપિયા સુધી વેચાય છે. જોકે સિંદૂરીયા વિશે લોકોમાં જાગૃકતા ઓછી હોવાથી, તેનું રોપાણ અને પ્રોસેસિંગ યુનિટ પણ ઓછા છે. પરંતુ સિંદૂરીયો વધારાની આવક માટે એક ઉત્તમ માધ્યમ બની શકે છે

નવસારી કૃષિ યુનિવર્સિટીના ફોરેસ્ટ્રી વિભાગ દ્વારા સિંદૂરીયા ઉપર સંશોધન પણ કરવામાં આવ્યા હતા. ખાસ કરીને સિંદૂરીયાનું વૃક્ષ બીજ કરતા તેના લાકડાના ટુકડામાંથી વહેલું ઉગે છે અને ઉત્પાદન પણ વહેલું આપવા માંડે છે. જ્યારે સિંદૂરીયો આપણા બગીચાની શોભા પણ વધારી શકે છે. કારણ નાનું ઝાડ, સરસ પાન અને પર્પલ રંગના અનોખા ફળમાં કેસરી એટલે સિંદૂર રંગના બીજ આકર્ષણ જમાવે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...