Thursday, March 12, 2026

અમદાવાદમાં વધુ 7 રોડ આઇકોનિક બનશે, કેનયુગ સર્કલથી એસજી હાઈવે સુધી ઓલિમ્પિકની થીમ

spot_img
Share

અમદાવાદ : શહેરમાં પ્રવેશવાના સાત રસ્તાને ‘આઇકોનિક રોડ’ તરીકે વિકસાવાશે. અત્યારે ચાર રોડની કામગીરી શરૂ થઈ ગઈ છે, જ્યારે ત્રણ રોડની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરાશે, જેમાંથી કેનયુગથી શ્યામલ ચાર રસ્તા થઈ એસજી હાઈવે તરફના 3.3 કિમીના રસ્તાને ઓલિમ્પિક થીમ પર ડેવલપ કરાશે. આ રોડ પર મોટા ભાગનાં જંક્શન પર ઓલિમ્પિક રમતોને લગતી થીમ હશે. સૌથી પહેલો આઇકોનિક રોડ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ તરફનો તૈયાર કરાયો છે. પીપીપી મોડલ પર તૈયાર થયેલા આ રોડની કામગીરી હજુ પણ ચાલી રહી છે.

રસ્તાની હાલની પહોળાઈ પ્રમાણે 3 લેનનો રોડ બનાવાશે.
સેન્ટ્રલ મીડિયમની પહોળાઈ 1થી 1.5 મીટર રખાશે, જ્યાં વૃક્ષ ઉગાડી હરિયાળો બનાવાશે.
રસ્તાની બંને તરફ વોકવે હશે, જે વૃક્ષોને કારણે ગ્રીન વોકવે
2થી 3 મીટર પહોળા ફૂટપાથ નાગરિકોને ચાલવા મળશે
અલગ અલગ રોડની અલગ અલગ થીમ આધારીત વિકાસ થશે.
રોડ પર ઓનસ્ટ્રીટ પાર્કિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરાવાશે
જો રોડની પહોળાઈ વધારે હોય તો સર્વિસ રોડ બનાવાશે
વિવિધ સ્થળે થીમ આધારિત લેન્ડસ્કેપ (ગ્રીન સ્પેસ) વિકસાવાશે
આકર્ષક લાઇટિંગ
બફર ઝોનમાં દુકાનો, ગજેબો, બેન્ચ, વોકિંગ ટ્રેક, સ્કલ્પચર્સ, ચિલ્ડ્રન પ્લે એરિયા પણ હશે

પહેલાંના આઇકોનિક રોડમાં શું ખામી હતી?
અઢી કિમી રસ્તાને ચાલતા ક્રોસ કરવાની પણ જગ્યા ન હોવાથી પાછળથી રસ્તો ક્રોસ કરવા માટે પુલ બનાવાયા હતા
પહેલા વરસાદમાં જ પાણી ભરાયાં હતાં, પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હતી.
પ્રથમ કામ ખૂબ જ ઝડપભેર પૂર્ણ થયું, પણ બાદમાં નાગરિકોની સુવિધા માટેની કામગીરી ગોકળગાયની ગતિએ ચાલી રહી છે.

આ રોડનું કામ શરૂ
નરોડા મુક્તિધામથી દહેગામ જંક્શન, અંતર 2.7 કિમી
ઇસ્કોનથી પકવાન જંક્શન, અંતર: 1.47 કિ.મી
વિસત સર્કલથી તપોવન સર્કલ, અંતર: 2.4 કિ.મી
આશ્રમ રોડ, અંતર: 5.11 કિ.મી

9 બ્રિજ નીચે સ્પોર્ટ્સ એક્ટિવિટી શરૂ કરાશે
શહેરના વધુ નવ બ્રિજ નીચે ખાલી પડેલી જગ્યા પર મ્યુનિ. બોક્સ ક્રિકેટ સહિત વિવિધ સ્પોર્ટ્સ એક્ટિવિટી કરશે. આ સિવાય ફ્લાયઓવર નીચે લેન્ડસ્કેપ ગાર્ડન, બેઠક વ્યવસ્થા, ચિલ્ડ્રન પ્લે એરિયા, ફૂડ સ્ટોલ ઊભા કરાશે. હાલ સિમ્સ બ્રિજ નીચે સ્પોર્ટ્સ એક્ટિવિટી ચાલે છે.

– દિનેશ ચેમ્બર ફ્લાયઓવર , બાપુનગર
– રાજેન્દ્ર પાર્ક ફ્લાયઓ‌વર, ઓઢવ
– ઘોડાસર ફ્લાયઓવર, ઘોડાસર
– અંજલિ ફ્લાયઓ‌વર, વાસણા
– લાલાપીર રેલવે ઓવરબ્રિજ, શાહીબાગ
– ગુરુજી રેલવે ઓ‌વરબ્રિજ, મણિનગર
– ગુજરાત કોલેજ રેલવે બ્રિજ, એલિસબ્રિજ
– પેલેડિયમ મોલ પાસે તથા કારગીલ જંક્શન પાસે (નેશનલ હાઈવે ઓથોરિટીની મંજૂરી પછી)
– વકીલ બ્રિજ, બોપલ

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...