Wednesday, January 14, 2026

અમદાવાદમાં વધુ 7 રોડ આઇકોનિક બનશે, કેનયુગ સર્કલથી એસજી હાઈવે સુધી ઓલિમ્પિકની થીમ

spot_img
Share

અમદાવાદ : શહેરમાં પ્રવેશવાના સાત રસ્તાને ‘આઇકોનિક રોડ’ તરીકે વિકસાવાશે. અત્યારે ચાર રોડની કામગીરી શરૂ થઈ ગઈ છે, જ્યારે ત્રણ રોડની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરાશે, જેમાંથી કેનયુગથી શ્યામલ ચાર રસ્તા થઈ એસજી હાઈવે તરફના 3.3 કિમીના રસ્તાને ઓલિમ્પિક થીમ પર ડેવલપ કરાશે. આ રોડ પર મોટા ભાગનાં જંક્શન પર ઓલિમ્પિક રમતોને લગતી થીમ હશે. સૌથી પહેલો આઇકોનિક રોડ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ તરફનો તૈયાર કરાયો છે. પીપીપી મોડલ પર તૈયાર થયેલા આ રોડની કામગીરી હજુ પણ ચાલી રહી છે.

રસ્તાની હાલની પહોળાઈ પ્રમાણે 3 લેનનો રોડ બનાવાશે.
સેન્ટ્રલ મીડિયમની પહોળાઈ 1થી 1.5 મીટર રખાશે, જ્યાં વૃક્ષ ઉગાડી હરિયાળો બનાવાશે.
રસ્તાની બંને તરફ વોકવે હશે, જે વૃક્ષોને કારણે ગ્રીન વોકવે
2થી 3 મીટર પહોળા ફૂટપાથ નાગરિકોને ચાલવા મળશે
અલગ અલગ રોડની અલગ અલગ થીમ આધારીત વિકાસ થશે.
રોડ પર ઓનસ્ટ્રીટ પાર્કિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરાવાશે
જો રોડની પહોળાઈ વધારે હોય તો સર્વિસ રોડ બનાવાશે
વિવિધ સ્થળે થીમ આધારિત લેન્ડસ્કેપ (ગ્રીન સ્પેસ) વિકસાવાશે
આકર્ષક લાઇટિંગ
બફર ઝોનમાં દુકાનો, ગજેબો, બેન્ચ, વોકિંગ ટ્રેક, સ્કલ્પચર્સ, ચિલ્ડ્રન પ્લે એરિયા પણ હશે

પહેલાંના આઇકોનિક રોડમાં શું ખામી હતી?
અઢી કિમી રસ્તાને ચાલતા ક્રોસ કરવાની પણ જગ્યા ન હોવાથી પાછળથી રસ્તો ક્રોસ કરવા માટે પુલ બનાવાયા હતા
પહેલા વરસાદમાં જ પાણી ભરાયાં હતાં, પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હતી.
પ્રથમ કામ ખૂબ જ ઝડપભેર પૂર્ણ થયું, પણ બાદમાં નાગરિકોની સુવિધા માટેની કામગીરી ગોકળગાયની ગતિએ ચાલી રહી છે.

આ રોડનું કામ શરૂ
નરોડા મુક્તિધામથી દહેગામ જંક્શન, અંતર 2.7 કિમી
ઇસ્કોનથી પકવાન જંક્શન, અંતર: 1.47 કિ.મી
વિસત સર્કલથી તપોવન સર્કલ, અંતર: 2.4 કિ.મી
આશ્રમ રોડ, અંતર: 5.11 કિ.મી

9 બ્રિજ નીચે સ્પોર્ટ્સ એક્ટિવિટી શરૂ કરાશે
શહેરના વધુ નવ બ્રિજ નીચે ખાલી પડેલી જગ્યા પર મ્યુનિ. બોક્સ ક્રિકેટ સહિત વિવિધ સ્પોર્ટ્સ એક્ટિવિટી કરશે. આ સિવાય ફ્લાયઓવર નીચે લેન્ડસ્કેપ ગાર્ડન, બેઠક વ્યવસ્થા, ચિલ્ડ્રન પ્લે એરિયા, ફૂડ સ્ટોલ ઊભા કરાશે. હાલ સિમ્સ બ્રિજ નીચે સ્પોર્ટ્સ એક્ટિવિટી ચાલે છે.

– દિનેશ ચેમ્બર ફ્લાયઓવર , બાપુનગર
– રાજેન્દ્ર પાર્ક ફ્લાયઓ‌વર, ઓઢવ
– ઘોડાસર ફ્લાયઓવર, ઘોડાસર
– અંજલિ ફ્લાયઓ‌વર, વાસણા
– લાલાપીર રેલવે ઓવરબ્રિજ, શાહીબાગ
– ગુરુજી રેલવે ઓ‌વરબ્રિજ, મણિનગર
– ગુજરાત કોલેજ રેલવે બ્રિજ, એલિસબ્રિજ
– પેલેડિયમ મોલ પાસે તથા કારગીલ જંક્શન પાસે (નેશનલ હાઈવે ઓથોરિટીની મંજૂરી પછી)
– વકીલ બ્રિજ, બોપલ

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...