Monday, May 11, 2026

અમદાવાદમાં વધુ 7 રોડ આઇકોનિક બનશે, કેનયુગ સર્કલથી એસજી હાઈવે સુધી ઓલિમ્પિકની થીમ

spot_img
Share

અમદાવાદ : શહેરમાં પ્રવેશવાના સાત રસ્તાને ‘આઇકોનિક રોડ’ તરીકે વિકસાવાશે. અત્યારે ચાર રોડની કામગીરી શરૂ થઈ ગઈ છે, જ્યારે ત્રણ રોડની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરાશે, જેમાંથી કેનયુગથી શ્યામલ ચાર રસ્તા થઈ એસજી હાઈવે તરફના 3.3 કિમીના રસ્તાને ઓલિમ્પિક થીમ પર ડેવલપ કરાશે. આ રોડ પર મોટા ભાગનાં જંક્શન પર ઓલિમ્પિક રમતોને લગતી થીમ હશે. સૌથી પહેલો આઇકોનિક રોડ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ તરફનો તૈયાર કરાયો છે. પીપીપી મોડલ પર તૈયાર થયેલા આ રોડની કામગીરી હજુ પણ ચાલી રહી છે.

રસ્તાની હાલની પહોળાઈ પ્રમાણે 3 લેનનો રોડ બનાવાશે.
સેન્ટ્રલ મીડિયમની પહોળાઈ 1થી 1.5 મીટર રખાશે, જ્યાં વૃક્ષ ઉગાડી હરિયાળો બનાવાશે.
રસ્તાની બંને તરફ વોકવે હશે, જે વૃક્ષોને કારણે ગ્રીન વોકવે
2થી 3 મીટર પહોળા ફૂટપાથ નાગરિકોને ચાલવા મળશે
અલગ અલગ રોડની અલગ અલગ થીમ આધારીત વિકાસ થશે.
રોડ પર ઓનસ્ટ્રીટ પાર્કિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરાવાશે
જો રોડની પહોળાઈ વધારે હોય તો સર્વિસ રોડ બનાવાશે
વિવિધ સ્થળે થીમ આધારિત લેન્ડસ્કેપ (ગ્રીન સ્પેસ) વિકસાવાશે
આકર્ષક લાઇટિંગ
બફર ઝોનમાં દુકાનો, ગજેબો, બેન્ચ, વોકિંગ ટ્રેક, સ્કલ્પચર્સ, ચિલ્ડ્રન પ્લે એરિયા પણ હશે

પહેલાંના આઇકોનિક રોડમાં શું ખામી હતી?
અઢી કિમી રસ્તાને ચાલતા ક્રોસ કરવાની પણ જગ્યા ન હોવાથી પાછળથી રસ્તો ક્રોસ કરવા માટે પુલ બનાવાયા હતા
પહેલા વરસાદમાં જ પાણી ભરાયાં હતાં, પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હતી.
પ્રથમ કામ ખૂબ જ ઝડપભેર પૂર્ણ થયું, પણ બાદમાં નાગરિકોની સુવિધા માટેની કામગીરી ગોકળગાયની ગતિએ ચાલી રહી છે.

આ રોડનું કામ શરૂ
નરોડા મુક્તિધામથી દહેગામ જંક્શન, અંતર 2.7 કિમી
ઇસ્કોનથી પકવાન જંક્શન, અંતર: 1.47 કિ.મી
વિસત સર્કલથી તપોવન સર્કલ, અંતર: 2.4 કિ.મી
આશ્રમ રોડ, અંતર: 5.11 કિ.મી

9 બ્રિજ નીચે સ્પોર્ટ્સ એક્ટિવિટી શરૂ કરાશે
શહેરના વધુ નવ બ્રિજ નીચે ખાલી પડેલી જગ્યા પર મ્યુનિ. બોક્સ ક્રિકેટ સહિત વિવિધ સ્પોર્ટ્સ એક્ટિવિટી કરશે. આ સિવાય ફ્લાયઓવર નીચે લેન્ડસ્કેપ ગાર્ડન, બેઠક વ્યવસ્થા, ચિલ્ડ્રન પ્લે એરિયા, ફૂડ સ્ટોલ ઊભા કરાશે. હાલ સિમ્સ બ્રિજ નીચે સ્પોર્ટ્સ એક્ટિવિટી ચાલે છે.

– દિનેશ ચેમ્બર ફ્લાયઓવર , બાપુનગર
– રાજેન્દ્ર પાર્ક ફ્લાયઓ‌વર, ઓઢવ
– ઘોડાસર ફ્લાયઓવર, ઘોડાસર
– અંજલિ ફ્લાયઓ‌વર, વાસણા
– લાલાપીર રેલવે ઓવરબ્રિજ, શાહીબાગ
– ગુરુજી રેલવે ઓ‌વરબ્રિજ, મણિનગર
– ગુજરાત કોલેજ રેલવે બ્રિજ, એલિસબ્રિજ
– પેલેડિયમ મોલ પાસે તથા કારગીલ જંક્શન પાસે (નેશનલ હાઈવે ઓથોરિટીની મંજૂરી પછી)
– વકીલ બ્રિજ, બોપલ

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...