Thursday, March 12, 2026

અમદાવાદ ટુ લંડન ડાયરેક્ટ જતી ફ્લાઈટ અંગે એર ઈન્ડિયાનો મોટો નિર્ણય, એડવાન્સ બુકિંગવાળા ખાસ વાંચી લે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ પ્લેનક્રેશની ઘટનાએ સૌને સ્તબ્ધ કરી દીધા છે.. આ ઘટના બાદ સરકાર હવાઇ મુસાફરીમાં સુરક્ષા કઇ રીતે વધુને વધુ સુનિશ્ચિત કરી શકાય તેના પર ભાર મુકી રહી છે., તો બીજી તરફ એર ઇન્ડિયા કંપનીએ પણ આવી ઘટના બીજીવાર ન બને તે માટે આગામી સમયમાં તેના મુસાફરોની સુરક્ષા વધુ મજબૂત બનાવવા ગતિવિધિ શરૂ કરી છે.આ વચ્ચે એર ઈન્ડિયાએ એક મોટો નિર્ણય લીધો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં 12 જૂને થયેલ પ્લેન ક્રેસ દુર્ઘટના બાદ એર ઇન્ડિયા દ્વારા નિર્ણય લેવાયો છે. અમદાવાદથી સીધી લંડન જતી ફ્લાઇટ હાલ બંધ કરવામાં આવી છે. એટલે કે, હાલ અમદાવાદથી લંડન જવા માટે એર ઈન્ડિયાની કોઈ ફ્લાઈટ ઉડાન નહિ ભરે. એર ઇન્ડિયાએ એક મહત્વનો નિર્ણય લેતા અમદાવાદ-લંડનની ડાયરેક્ટ ફ્લાઇટને થોડા સમય માટે બંધ કરી છે. જે લોકોએ એડવાન્સમાં બુકીંગ કરાવ્યું હશે તેમને રિફંડ અપાશે.

અત્યાર સુધી આ ફ્લાઇટ સપ્તાહમાં પાંચ દિવસ ચાલતી હતી. હવે લંડન જવા માંગતા મુસાફરોએ વાયા મુંબઇ કે દિલ્હી થઇને લંડન જવું પડશે.. અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફલાઇટ ફરી ક્યારે શરૂ થશે તેને લઇને હજુ સુધી કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...