અમદાવાદ : અમદાવાદ પ્લેનક્રેશની ઘટનાએ સૌને સ્તબ્ધ કરી દીધા છે.. આ ઘટના બાદ સરકાર હવાઇ મુસાફરીમાં સુરક્ષા કઇ રીતે વધુને વધુ સુનિશ્ચિત કરી શકાય તેના પર ભાર મુકી રહી છે., તો બીજી તરફ એર ઇન્ડિયા કંપનીએ પણ આવી ઘટના બીજીવાર ન બને તે માટે આગામી સમયમાં તેના મુસાફરોની સુરક્ષા વધુ મજબૂત બનાવવા ગતિવિધિ શરૂ કરી છે.આ વચ્ચે એર ઈન્ડિયાએ એક મોટો નિર્ણય લીધો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં 12 જૂને થયેલ પ્લેન ક્રેસ દુર્ઘટના બાદ એર ઇન્ડિયા દ્વારા નિર્ણય લેવાયો છે. અમદાવાદથી સીધી લંડન જતી ફ્લાઇટ હાલ બંધ કરવામાં આવી છે. એટલે કે, હાલ અમદાવાદથી લંડન જવા માટે એર ઈન્ડિયાની કોઈ ફ્લાઈટ ઉડાન નહિ ભરે. એર ઇન્ડિયાએ એક મહત્વનો નિર્ણય લેતા અમદાવાદ-લંડનની ડાયરેક્ટ ફ્લાઇટને થોડા સમય માટે બંધ કરી છે. જે લોકોએ એડવાન્સમાં બુકીંગ કરાવ્યું હશે તેમને રિફંડ અપાશે.
અત્યાર સુધી આ ફ્લાઇટ સપ્તાહમાં પાંચ દિવસ ચાલતી હતી. હવે લંડન જવા માંગતા મુસાફરોએ વાયા મુંબઇ કે દિલ્હી થઇને લંડન જવું પડશે.. અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફલાઇટ ફરી ક્યારે શરૂ થશે તેને લઇને હજુ સુધી કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી.


